________________
पूज्यश्री के गुरुदेव पू. कंचनविजयजी म.
કારતક વદ ૧ + ર ૨૪-૧૧-૧૯૯૯, બુધવાર
વિધિ અને આદરપૂર્વક સતત કરવામાં આવે તો સાધના અવશ્ય ફલવતી બને. વચ્ચે ગેપ પડે તે ન ચાલે.
| વેપારીઓને પૂછો : મહિનામાં ૧૫ દિવસ દુકાન બંધ રાખે તો શું થાય ? તુટેલા ગ્રાહકો સાંધતાં કેટલી વાર લાગે ? નર્મદાનો પુલ અખંડ ન હોય, વચ્ચે એક જ ફુટનું ગાબડું હોય તો ચાલનારની શી દશા થાય ? આપણી સાધનાનો પુલ પણ અખંડ જોઈએ.
આત્મસાધના સિવાય બધે જ આપણે સાતત્ય જાળવીએ છીએ. નિયમિત નહિ થવાથી, આદરપૂર્વક નહિ થવાથી, વિધિપૂર્વક સાધના નહિ થવાથી જ આપણો હજુ સુધી મોક્ષ થયો નથી.
- મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ આદિ જેમ જેમ મંદ થતા જાય તેમ તેમ સાધનામાં વેગ વધતો જાય, સાધનાનો આનંદ વધતો જાય.
મિથ્યાત્વ જતાં ૪થું ગુણઠાણું આવે, સમ્યત્ત્વનો આનંદ મળે.
*
*
*
*
*
*
*
*
*
*
* * ૫૮૦