________________
મધ્યમાં ત્રણ રીતે :
(૧) સાતમા ગુણઠાણાની અપેક્ષાએ (હજુ સાત ગુણઠાણા બાકી છે)
(૨) મધ્ય લોકની અપેક્ષાએ. (૩) માનવ ભવની અપેક્ષાએ. નિગોદથી નિર્વાણની યાત્રામાં માનવ-ભવ વચ્ચે છે.
જો દીક્ષા ન લીધી હોત, ગૃહસ્થાપણામાં રહ્યા હોત તો કોઈકનું માનવું પડત કે નહિ ?
બીજાનું માનવું સારું કે ભગવાનનું માનવું સારું ?
ભગવાનની આજ્ઞાનુસાર જીવન જીવવું કે મોહની આજ્ઞાનુસાર જીવન જીવવું ? એ આપણે નક્કી કરવાનું છે.
ગુરુ જ મોહ-અંધારને હણનારા છે, સત્યજ્ઞાન આપનારા
સદ્ગુરુ કેવા હોય ?
શ્રુતમાં ઉપયોગવંત હોય. માત્ર ભણેલા જ નહિ, પણ ભણ્યા પ્રમાણે ઉપયોગપૂર્વક જીવનારા હોય.
ચારિત્રમાં રમણ કરનારા હોય, આત્મ તત્ત્વનું આલંબન લેનારા હોય.
ચૈત્યવંદન કરતાં આંખમાંથી હર્ષના આંસુ ન પડે તો તે સમજજો કે મારી ભક્તિ અધૂરી છે “ખરેખર ! આ પંક્તિને વાંચતાં તો મારા આત્માની ચોપાસ કોઈ અમેય આનંદની લહરીઓ દોડી ગઈ.
- સા. સમ્યગદર્શનાથી
સુરત
આ પુસ્તક દ્વારા અમારામાં પાપભીરુતા, પ્રભુભક્તિ સ્થિરતા, ગુરુભક્તિમાં સમર્પિતતા, ધર્મ પ્રત્યેની દૃઢતા પ્રગટે, એ જ અંતરની અભિલાષા છે.
- સા. સંવેગસાશ્રી
અમદાવાદ
છે
કહે
*
*
*
*
*
* * ૫૪૩