________________
કષાયથી કરાતી કોઈપણ પ્રવૃત્તિ પ્રમાદ જ છે.
- સ્વાધ્યાયથી સાત મહાન લાભ : (૧) આત્મહિતનું જ્ઞાન. (૨) પારમાર્થિક ભાવ સંવર. (૩) નવું જાણવાથી અપૂર્વ સંવેગની વૃદ્ધિ. (૪) નિષ્કપતા. (૫) ઉત્કૃષ્ટ તપ. (૬) કર્મની નિર્જરા. (૭) પરોપદેશ - શક્તિ .
= સ્વાધ્યાય ઉપયોગપૂર્વકનો હોવો જોઈએ. પોપટીયો પાઠ ન ચાલે. ઉપયોગપૂર્વક તમે મુહપત્તિના ૫૦ બોલ પણ બોલો તોય કામ થઈ જાય. હું કહું છું કે માત્ર એક જ બોલ પર વિચારો :
સૂત્ર, અર્થ તત્ત્વ કરી સદ્દહું'
આના પર વિચારશો તો લાગશે : સમગ્ર જૈનશાસન આમાં સમાયેલું છે.
માત્ર બાહ્ય ક્રિયાથી, નિષ્માણ ક્રિયાઓથી મોક્ષ મળી જશે, એમ માનતા નહિ, એમાં પ્રાણ પૂરવા પડશે.
અધ્યાત્મ વિણ જે ક્રિયા, તે તન – મલ તોલે; મમકારાદિક યોગથી, એમ જ્ઞાની બોલે.' અધ્યાત્મ વગરની ક્રિયા એટલે શરીર પરનો મેલ !
એવી શુષ્ક ક્રિયાનું પણ અભિમાન કેટલું ? મારા જેવી કોઈની ક્રિયા નહિ !
ભગવાનને પરોપકારનું વ્યસન હોય છે, તે કેટલાંક દૃષ્ટાંતોથી જણાશે.
ના પાડતાં છતાં ચંડકૌશિકને પ્રતિબોધવા ગયા, શૂલપાણિ, હાલિક વગેરેને પ્રતિબોધ્યા. સંગમને ન પ્રતિબોધી શકવા બદલ આંસુ સાર્યા. ભગવાન આવા પરાર્થવ્યસની, આપણે કેવા ?
સાચું જ્ઞાન તે જ જે ગુપ્તિએ ગુપ્ત અને સમિતિથી સમિત બનાવે.
કહે કલાપૂર્ણસૂરિ-૧ = =
- - - * * *
* * * *
૪૮૦