SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ રહે છે ત્યારે આત્મશક્તિનો હ્રાસ થાય છે, એટલું સમજી રાખો. તુમ ન્યારે તબ સબ હી ન્યારા...” ભગવાન (ઉપલક્ષણથી નવપદ) નજીક તો બધા નજીક. ભગવાન દૂર તો બધું જ દૂર. છે જ્યારે કોઈના પ્રત્યે પણ અમૈત્રીભાવ આવે ત્યારે કદી વિચાર આવ્યો : હું ‘મિત્તી સદ્ગમૂહુ' દિવસમાં બે વાર તો બોલું જ છું ? મૈત્રીની આંખે જીવોને જોવા તે તો મિત્રાદષ્ટિનું, સમ્યક્તથી પણ પહેલાનું લક્ષણ છે. સાધુ તો જીવોને આત્મવત જુએ. મૈત્રી તો માનવતાનું પહેલું પગથિયું છે. જે કંઠસ્થ કર્યા વિના વડી દીક્ષા ન થાય એ દશવૈકાલિકમાં તમે શું ભણ્યા છો ? 'सव्वभूअप्पभूअस्स, सम्मं भूआई पासओ ।' સર્વ જીવોમાં સ્વ જીવને જોનારો સાધુ હોય. તેથી જ સાધુ સર્વભૂતાત્મભૂત કહેવાય. માગનુસારિતામાં રહેલો માણસ પણ જીવોને મિત્રની આંખે જુએ. સાધુ તો સૌ જીવને આત્મવત્ જુએ. બીજામાં એ પોતાનું જ સ્વરૂપ જૂએ. બીજાની હિંસામાં પોતાની, બીજાના અપમાનમાં પોતાનું જ અપમાન જુએ તે સાધુ. ૦ આ બધું હું મારું વન્નુત્વ બતાવવા નથી કહેતો. આપણે તો માત્ર આ માધ્યમથી સ્વાધ્યાય કરીએ છીએ. જીવોની સાથે સંબંધ સુધરતાં જ પરમાત્માની સાથે સંબંધ સુધરવા લાગે છે. નિર્મળતા, સ્થિરતા અને તન્મયતા આ ક્રમ છે. જે જે અનુષ્ઠાનોથી આત્માની નિર્મળતાદિ થાય છે તે અનુષ્ઠાનોમાં ધ્યાન પરોવવું જરૂરી છે. નિર્મળતાથી : સમ્યગૂ દર્શન. સ્થિરતાથી : સમ્યગૂ જ્ઞાન, અને તન્મયતાથી : સમ્યફ ચારિત્ર મળે છે. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૦૦૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy