________________
જવું છે મોક્ષમાં ? શી રીતે જઈશું મોક્ષમાં ? એ માટેની કોઈ સાધના નથી. સાધના નથી, એનું કોઈ દુઃખ પણ નથી.
બહિરાત્મભાવ છોડીને અંતરાત્મભાવમાં પણ આપણે આવવા તૈયાર નથી તો પરમાત્મભાવ મેળવવાનો અધિકાર કયા મોઢે કરી શકીએ ?
ક્યારેય પ્રભુ માટે તડપન જાગી ? ક્યારે પ્રભુનો વિરહ લાગ્યો ? વિરહ વિના પ્રભુ કેમ મળે ?
આનંદઘનજીના પદો - સ્તવનો વાંચો. વિરહ વેદના છલકાતી દેખાશે.
પ્રશ્ન : સંયોગ થયો હોય તો વિરહ લાગે... પણ પ્રભુનો સંયોગ જ ક્યાં થયો છે ?
ઉત્તર : આ જ આપણી ભૂલ છે. પ્રભુ તો સદા સાથે છે જ, પણ આપણે કદી તે તરફ જોયું જ નથી.
બોલો, ક્યારેય નિર્મળ આનંદ નથી આવ્યો ? આનંદ પ્રભુ વિના શી રીતે આવી શકે ? એ આનંદ મેળવવા કદી તડપન જાગી ?
અંધકારમાં રહેલો માણસ ક્યારેક પ્રકાશનું એકાદ કિરણ જુએ તો તેને ફરી મેળવવા અવશ્ય લલચાવાનો ? જેમ પેલો સેવાળમાં રહેલો કાચબો, શારદી પૂનમનો વૈભવ ફરી જોવા લલચાયેલો.
- બધા ધોબીઓ તમારી કપડા ધોવાની કળા પાસે હારી જાય, એટલા સફેદ કપડા તમે ધોઈને કરી શકો છો. આ કળા હસ્તગત થઈ ગઈ, પણ આત્મા, જે અનાદિકાળથી મલિન છે, તેની શુદ્ધિ કરવાની કળા હસ્તગત કરવા જેવી છે, તેવું કદી લાગ્યું ?
૦ આયંબિલમાં બે આગાર વધુ : (૧) ઉષ્મિત્ત વિવેગેણં, (૨) પડુચ્ચમખિએણે
કોઈ વખતે એકાસણાના આહાર સાથે આયંબિલનો આહાર આવી જાય તો થોડા સ્પર્શથી દોષ ન લાગે.
તેલ કે ઘીવાળા હાથથી રોટલી માટેનો લોટ તૈયાર કરે
૪૦૪
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧