________________
કષાયમાં રહેવું તે સ્વભાવ કે વિભાવમાં રહેવું તે આપણો સ્વભાવ ? ૨૪ કલાકમાં કેટલા કલાક સ્વભાવમાં ? અને કેટલા કલાક વિભાવમાં જાય ? આપણી જીવનભરની પ્રતિજ્ઞા છે – સ્વભાવમાં રહેવાની. એ પ્રતિજ્ઞા ભૂલી ગયા નથી ને ?
ગૃહસ્થોની પ્રતિજ્ઞા ‘નવ નિયન' પણ આપણી પ્રતિજ્ઞા તો ‘નાવMોવાઇ' છે, એ ભૂલાય તે કેમ ચાલે ?
સ્વભાવ” એટલે આપણો પોતાનો ભાવ. સ્વભાવમાં રહીએ તેટલો સમય કર્મનો ક્ષય થતો જ રહે. પરભાવમાં રહેવું એટલે પોતાના આત્માને દુર્ગતિમાં ધક્કો મારવો.
સ્વભાવમાં અસંક્લેશ પરભાવમાં સંક્લેશ. સંક્લેશ એટલે સંસાર અસંક્લેશ એટલે મોક્ષ.
અસંક્લેશમાં અહીં જ મોક્ષનો અનુભવ થાય, જીવન્મુક્ત દશાનો અનુભવ થાય.
પ્રદેશ-પ્રદેશમાં આનંદનો અનુભવ થાય. ગીતામાં આવા યોગીને સ્થિતપ્રજ્ઞ કહ્યા છે. ગીતાના એ સ્થિતપ્રજ્ઞના લક્ષણો જૈન મુનિને બરાબર ઘટે. વાંચવા જેવા છે એ લક્ષણો.
એ લોકો સ્થિતપ્રજ્ઞતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. આપણે સ્વભાવ-દશા માટે પ્રયત્ન કરવાનો છે. મૂલતઃ બંને વસ્તુ એક જ છે. સામાયિક સૂત્ર એ માટેનું સાધન છે. ' ઉપશમ, વિવેક, સંવર એ ત્રણ શબ્દના શ્રવણથી ખૂની ચિલાતીપુત્રને સમતાભાવની પ્રાપ્તિ થઈ હતી. મુનિએ માત્ર ત્રણ જ શબ્દ સંભળાવેલા. પેલાએ તલવાર તાણીને કહેલું : સાધુડા ! ધર્મ સંભળાવ, નહિ તો માથું કાપી નાખીશ.' 'सामाइअस्स बहुहाकरणं तप्पुव्वगा समणजोगा।'
બધા શ્રમણના યોગો સામાયિકપૂર્વકના હોય છે. કોઈપણ સ્થાને સમતાભાવ ન જ જવો જોઈએ.
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * *
* * ૩૯૩