________________
જે સમયે જે ક્રિયા ચાલતી હોય, જે જીવન જીવાતું હોય તે પ્રસંગમાં તમે એકાકાર હો, તમારું જ્ઞાન કામ આવતું હોય તો જ સાચું જ્ઞાન છે.
- શમ : સમ્યમ્ દષ્ટિ માને કે, કોઈ મારો અપરાધી નથી, અપરાધી છે તો એક માત્ર કર્મ. એના કારણે જ કોઈ આપણું બગાડે છે. મારા કર્મ ન હોય તો કોણ બગાડી શકે ?
કર્મ પણ શા માટે ? કર્મનો કરનાર પણ મારો આત્મા જ છે ને ? મેં બોલાવ્યા ત્યારે જ આવ્યા ને ? નહિ તો જડ કર્મ શું કરત ?
* સંવેગ :
સુર-નરના સુખ, દુઃખ રૂપ લાગે. મોક્ષ જ, આત્મસુખ જ મેળવવા જેવું લાગે.
‘યલા દુ:વું સુ વેન, ૩:વેન સુદ્ધ વેલા !'
જ્યારે સંસારનું સુખ દુઃખરૂપ લાગે, દુઃખ સુખરૂપ લાગે ત્યારે જ સંવેગ પ્રગટ્યો છે, એમ સમજવું.
સંસારનું સમગ્ર સુખ, સ્વર્ગનું પણ સુખ દુઃખરૂપ લાગે, તે સંવેગ છે.
અત્યારે સાધુપણામાં શું કષ્ટ છે ? કષ્ટ તો પૂર્વકાળમાં હતા. અત્યારે તો આપણે રાજકુમાર જેવા કોમળ બની ગયા છીએ.
૨૨ પરિષદોમાંથી અત્યારે કેટલા સહન કરીએ છીએ ?
અનુકૂળતાને ઠોક્કર મારનારા ને પ્રતિકૂળતાને સામેથી નોતરું આપનારા આપણા પૂર્વજો હતા, તે ભૂલશો નહિ. અત્યારે સંપૂર્ણ શીર્ષાસન થઈ ગયું છે.
પ્રતિકૂળતાના ઠેષી ને અનુકૂળતાના ઈચ્છુક આપણે સૌ બની ગયા છીએ.“થોડીક જ પ્રતિકૂળતા આપણને અકળાવી મૂકે છે.
- નિર્વેદ :
નરકનો જીવ, એક ક્ષણ પણ નરકમાં રહેવા ન ઈચ્છે. કેદી કેદમાં એક ક્ષણ પણ વધુ રહેવા ન માંગે, તેમ સંસારમાં સમ્યમ્ દષ્ટિ એક ક્ષણ પણ વધુ ન રહે. ક્ષણે-ક્ષણે ઈચ્છતો હોય : જ્યારે સંસારથી છૂટું ?
૩૯૦
*
* *
*
*
* *
*
*
* * * કહે