________________
મદ્રાસમાં એવી હાલત થયેલી, તબિયત એટલી ખરાબ થયેલી કે જવાની તૈયારી, મુહપત્તિના બોલ પણ ન બોલી શકું. આવી અવસ્થામાં મને ઉગારનાર કોણ ? મા સિવાય કોણ ? ભગવાનમાં હું “મા”ના દર્શન કરું છું.
એમણે આવીને મને બચાવી લીધો. આજે મને લાગે છે : ભગવાને મને જાણે પુનરાવતાર આપ્યો.
“મને વિષ્ણUTIો, માયારે વિયેય – સદાયેત્ત'
નિર્યુક્તિમાં આમ શ્રી ભદ્રબાહુસ્વામીએ પંચ પરમેષ્ઠીના ગુણો ગણાવ્યા છે.
અરિહંત માર્ગદાતા છે. સિદ્ધ અવિનાશી છે. આચાર્ય આચાર-પાલક અને આચાર-પ્રસારક છે. સ્વયં વિનીત ઉપાધ્યાય ભગવંતો વિનય-દાયક છે.
उपाध्यायानां तु नमस्कारार्हत्वे विनयो हेतुः, यतस्तान स्वयं विनीतान् प्राप्य कर्मविनयनसमर्थविनयवन्तो भवन्ति देहिन :।
- આવશ્યહારિભદ્રીયવૃત્તિ ઉપાધ્યાયની નમસ્કરણીયતામાં વિનય હેતુ છે. કારણ કે સ્વયં વિનીત ઉપાધ્યાયને પામીને જીવો કર્મનો નાશ કરનાર વિનયવાળા બને છે. (પૂ. પ્રદ્યુમ્નસૂરિજીએ “વિનયન”નો અર્થ વિનિયોગ-જ્ઞાનનો વિનિયોગ કરવાનો એવો કર્યો છે.) સાધુ મોક્ષ-માર્ગમાં સહાયતા કરનારા છે.
બીજાનું જ્ઞાન આપણામાં શી રીતે સંક્રાન્ત થાય ? વિનયથી, બહુમાનથી.
વિનય હશે તો જ્ઞાન આવવાનું જ છે. માટે જ જ્ઞાનની બહુ ફિકર નહિ કરતા, વિનયની કરજો. નવકાર વિનય શીખવે છે. નવકાર વિનયનો મંત્ર છે. નવકાર અક્કડ જીવોને ઝૂકવાનું શીખવે છે. નવકાર વારંવાર કહે છે : નમો... નમો... નમો...
નમશો તો ગમશો, નહિ તો ભવમાં ભમશો.
એકવાર નહિ, છ વાર “નમો'નો પ્રયોગ નવકારમાં થયેલો છે.
૩૬૮
*
*
*
*
*
*
*
*
*
* કહે