________________
સારીવાવ તે જૂથની, વેલા(પલાસ), વિ.સં. ૨૦૧૦
પૂ. સિદ્ધિસૂરિ સ્વર્ગતિથિ
ભાદરવા વદ ૧૪ ૦૮-૧૦-૧૯૯૯ : સવાર
એક પ્રકાશિત દીવો અનેકને પ્રકાશિત કરે, એક તીર્થકર અનેકને પ્રકાશિત કરે. ભગવાન મહાવીરપ્રભુનો જલાવેલો શાસન-દીપ ૨૧ હજાર વર્ષ સુધી બુઝાયા વિના ઝળહળતો રહેશે.
* મનુષ્યની શોભા મધુર અને સત્યવાણી છે. ઈન્દ્રભૂતિ ભગવાન મહાવીરને જીતવા આવેલા, પણ ભગવાનની પ્રિય અને મધુર વાણીએ એમને વશ કરી લીધા. ભગવાનના જ તેઓ શિષ્ય થઈ ગયા.
• ગુરુની સેવા ક્યાં સુધી કરવી ? गुरुत्वं स्वस्य नोदेति, शिक्षा-सात्म्येन यावता । आत्मतत्त्व-प्रकाशेन, तावत् सेव्यो गुरूत्तमः ॥
જ્યાં સુધી ઘટમાં અનુભવ પ્રકાશ ન થાય, જ્યાં સુધી શિક્ષા દ્વારા અંદર ગુરુત્વ પેદા ન થાય, ત્યાં સુધી ગુરુની સેવા
૩૬૬
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧