________________
સંબંધ પણ જીવત્વના નાતે નહીં, સ્વાર્થના નાતે છે. માટે જ એનો નિષેધ કરવામાં આવ્યો છે.
પ્રશ્નો બધા મનમાં રાખો. પ્રશ્નો સંદેહને જણાવે છે : હજુ તમે પ્રભુને સમર્પિત થયા નથી. સમર્પણ પછી પ્રશ્નો કેવા ? અહંકારશૂન્ય મનમાંથી પ્રશ્નો મરી પરવારે છે.
નવ દિવસ સુધી મને બરાબર સાંભળો. તમારા બધા જ પ્રશ્નોના જવાબ પ્રાયઃ આવી જશે. ન આવે તો દસમા દિવસે કહેજો.
- ભગવાન આપણને પ્રત્યક્ષ નથી, પણ આપણે ભગવાન માટે પ્રત્યક્ષ છીએ, એમના કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત છીએ, કારણ કે ભગવાન સર્વજ્ઞ-સર્વદર્શી છે. આ હોલ આપણને પ્રત્યક્ષ છે, તેમ પ્રભુને આખું વિશ્વ પ્રત્યક્ષ છે.
ભગવાન સર્વજ્ઞ છે તેમ સર્વગ પણ છે. સર્વગ એટલે સર્વવ્યાપી, દેહરૂપે નહીં, પણ કેવળજ્ઞાન રૂપે સર્વવ્યાપી છે. માટે જ પ્રભુ “વિભુ” છે.” માનતુંગસૂરિજીએ આ જ અર્થમાં વાવ્યર્થ વિમ...' એ શ્લોકમાં પ્રભુને વિભુ કહ્યા છે.
ભલે પૂજયશ્રી આપણાથી દૂર છે. પરંતુ આ બંધુ બેલડીએ પૂજ્યશ્રીની વાણીના પુદ્ગલોને ઝીલીને આ ચાર પુસ્તકોમાં ગુંથવા દ્વારા સાક્ષાત સમવસરણ જ ખડું કરી દીધું છે. બસ હવે સુતા કે જાગતા એક જ ગુંજન : કહે કલાપૂર્ણસૂરિ.”
- સા. સુજ્યશ્રી
રતનપર # # # # # અમારા જેવા બાળ જીવોને આ પુસ્તક એક આગમરૂપ જ બની ગયું છે.
• સા. નીરાગપૂર્ણાશ્રી
જામનગર
૩૧૦
*
*
*
*
*
* *
* *
* * * * કહે.
* * કહે કલાપૂર્ણસૂરિ-૧