________________
હું ૨૦ વર્ષથી ગાઢ રીતે પ્રભુ-ભક્તિ કરું છું. ભયંકર બિમારીમાં પણ ચાલુ ! રૂમથી બહાર નીકળાય નહિ તો પણ ભક્તિ ચાલુ જ. - અત્યારે નથી મા-બાપ, અત્યારે નથી ગુરુ - અમે તો ભગવાનના આધારે અત્યારે જીવીએ છીએ. ભગવાન છોડી દઈએ તો અમારી પાસે રહ્યું શું ? ભગવાન જ ગુરુ છે, મા છે, પિતા છે, બધું જ છે. બધું જ ભગવાન છે.
‘મચથી શરdi નાતિ' નો ભાવ પેદા થાયતો નિરાધાર બાળક તરફ જેમ મા દોડતી આવે તેમ ભગવાન દોડતા આવશે.
“અભિનંદન જિન દરિસણ તરસીએ...” એ સ્તવન વાંચી જુઓ. આનંદઘનજી દરેક ફિરકામાં માન્ય છે. તેમની સ્તવના તો જુઓ. વિરહનો ઉકળાટ તો જુઓ ! એ સ્તવનો નથી, પણ પ્રભુ તરફ ઉછળતી હૃદય – સાગરની લહરીઓ છે. એમાં પ્રથમ ગુણસ્થાનકથી લઈ ૧૪મા ગુણસ્થાનક સુધીનો પૂરો આધ્યાત્મિક વિકાસક્રમ છે.
(૧) પ્રથમ સ્તવનમાં પ્રભુપ્રેમ. (૨) બીજામાં માર્ગની શોધ. (૩) ત્રીજામાં મિત્રાદષ્ટિ, પ્રથમભૂમિકા.
અભય - અષ - અખેદની વાત. આ માટે યોગદષ્ટિ સમુચ્ચય વાંચી જોજો. મિત્રા દૃષ્ટિનું બીજું નામ અભય છે.
“કરણ'નો અર્થ સમાધિ થાય. સમાધિ સમજશો તો જ અપૂર્વકરણાદિ સમજાશે. યથાપ્રવૃત્તિકરણ જ અપૂર્વકરણ સુધી પહોંચાડે. યથાપ્રવૃત્તિકરણ અસંખ્યાતી વાર આવે, પણ ઉત્તરોત્તર વિશુદ્ધિ વધતી જ જતી હોય. જેમ નવા વિદ્યાર્થીનો એકડો ઉત્તરોત્તર સારો થતો જાય.
યથાપ્રવૃત્તિકરણ પણ અવ્યક્ત સમાધિ છે. આ અવ્યક્ત સમાધિના પ્રભાવે જ અભવ્ય જીવ દીક્ષા લઈ નવમા રૈવેયક સુધી જઈ શકે. અભવ્યમાં યોગ્યતા ન હોવાથી પછીથી પછડાય છે. એટલે જ હરિભદ્રસૂરિજીએ અપુનબંધક શબ્દ શોધ્યો છે. અપુનબંધક એટલે એવો જીવ જે ફરીથી કદી ૭0 કોટાકોટિ
૨૯૦
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧