________________
લઈ ગયેલો.
ફોનમાં કહે : હું મુમુક્ષુ છું. આ.મ.ના પુસ્તક છપાવવામાં ૨૫-૩૦ હજારની જરૂર છે. મોકલાવો. પેલાઓએ અમારા વિશ્વાસથી મોકલાવેલા. અમને ઠેઠ મદ્રાસમાં ખબર પડી. પત્રમાં લખેલું : આપના કહેવા પ્રમાણે ૬૦ હજા૨ મોકલી આપ્યા છે.
આ ડફોળ શંખના નમૂના છે.
ડફોળ શંખ એટલે બોલે ઘણું, પણ કરે કાંઈ નહિ. આપે કાંઈ નહિ. ઘણા માણસો પણ આવા જ હોય છે.
- અશુદ્ધભાવ સંસાર છે. શુદ્ધભાવ સંસાર પાર છે. અનુસ્રોત એટલે દુનિયા ચાલે તે પ્રમાણે ચાલવું. પ્રતિસ્રોત એટલે દુનિયાથી ઉર્દુ ચાલવું. પ્રતિકૂળતાને વધાવી લેવી તે મોક્ષમાર્ગ છે.
આપણું મન સંક્લિષ્ટ ન બને તેની કાળજી તીર્થકર ભગવંતોએ રાખી છે. જેમ જેમ ભગવાનની ભક્તિ વધતી જાય તેમ તેમ ભાવોની વિશુદ્ધિ વધતી જાય. ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે...”
- દેવચક્રજી જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ...'
- પ૨વિજયજી આપણને પ્રભુતા ગમે છે. પણ પ્રભુતા ઈચ્છવી એટલે લઘુ બનવું. લઘુ બનવું એટલે જ મહાન બનવું. મહાન બનવું એટલે જ લઘુ બનવું,
લઘુતા હશે ત્યાં ભક્તિ પ્રગટશે. ભક્તિ હશે ત્યાં મુક્તિ પ્રગટશે.
*
*
*
*
*
*
*
4
#
#
#
#
#
૨