________________
વિ.સં. ૨૦૨૮, મા
ભાદરવા સુદ ૮ ૧૮-૦૯-૧૯૯૯, શનિવાર
સાધુની આહાર ચર્યા : ધર્મસંગ્રહ ગ્રંથના બીજા ભાગમાં સાધુની ચર્ચા સવિસ્તર બતાવી છે. પ્રથમ ભાગમાં શ્રાવકધર્મનું વર્ણન છે.
એકેક વિધિનું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરતાં જણાશે : તીર્થકરોની જીવો પર કેટલી કરુણા છે !
સાદડીમાં (વિ.સં. ૨૦૩૨) ચાલુ માંડલીમાં એક મહાત્મા (ચારિત્રભૂષણવિ.) ના પાત્રામાંથી એક કૂતરો મેથીનો લાડવો ઊઠાવી ગયેલો.
માટે જ વાપરતાં પહેલા ઉપર-નીચે અને આજુબાજુ જોવાનું વિધાન છે.
ગોચરીમાં ફરતા, પસીનાથી રેબઝેબ થયેલા જૈન સાધુને જોઈને એક નિષ્ણાત વૈદ્ય પાછળ-પાછળ ચાલતો ઉપાશ્રયમાં આવ્યો. તાત્કાલિક વાપરશે તો મુનિને દોષોનો પ્રકોપ થશે – એમ તે માનતો હતો. પણ સાધુ મહારાજ તો પચ્ચકખાણ પારી, ૧૭ ગાથાનો સ્વાધ્યાય કરી પછી વાપરવા બેઠા, આથી
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૨૫