________________
રીતે ? એમને ભગવાન બનાવનાર સર્વ જીવો જ છે. માટે આપણે ભક્તિ કરીએ અને ભગવાન તરફથી કોઈ પ્રતિભાવ ન આવે, એવું બને જ નહિ.
ભક્ત હઠ પકડે તો ભગવાનને આવવું જ પડે. ખરેખર તો આવેલા જ છે. આપણે આવેલા ભગવાનને જાણતા નથી. ભક્ત હઠ દ્વારા આવેલા ભગવાનને ઓળખી લેવાની કળા સાધી લે છે.
અનુત્તર વિમાનવાસી દેવના પ્રશ્નનો જવાબ ભગવાન દ્રવ્ય મનને પ્રયોગ કરીને આપે, તો આપણને કોઈ જ જવાબ ન આપે, એવું બને જ શી રીતે ?
ભગવાન કાંઈ કૃષ્ણ કે મહાદેવના રૂપમાં નથી આવતા, પણ આનંદરૂપે આવે છે. ભગવાન આનંદમૂર્તિ છે, સચ્ચિદાનંદ છે. જ્યારે જ્યારે તમે આનંદથી ભરાઈ જાવ છો ત્યારે ત્યારે સમજી લેજો : ભગવાને મારામાં પ્રવેશ કર્યો છે.
ભગવાનની શરત આટલી જ છે : તમે મારા ધ્યાન વખતે બીજાનું ધ્યાન નહિ ધરતા. એકાગ્રપણે મારું જ ધ્યાન ધરશો તો હું આવવા તૈયારજ છું. મેં ક્યારે ના પાડી ? ખરેખર તો તમારા કરતાં હું વધુ આતુર છું.
આ પુસ્તક તો જાણે કલ્પવૃક્ષ છે.
- સા. યશોવલાશ્રી
બીલીમોરા
લાગે છે કે આપના આ પુસ્તકો અમર થઈ જવાના.
- સા. પ્રફુલ્લપ્રભાશ્રી
અમદાવાદ
આ પુસ્તક વાંચવાથી મારા જીવનમાં ઘણા ફાયદા થયા.
- સા. મુક્તિરેખાશ્રી
નવસારી
8
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * *
»
ગ
ગ
.
ગ
ગ
#
# # ૧૪૫