________________
આત્માના અનંત ખજાનાથી વંચિત રાખવા જ મોહરાજાએ તમને એકાદ લાખ કે ક્રોડની લાલચ આપી છે.
હિંસાથી ચિત્ત કલુષિત થાય. અહિંસાથી નિર્મળ થાય. હિંસા એટલે પર-પીડન ! પ્રમાદ પણ હિંસા... ખાસ કરીને સાધુ માટે. ગૃહસ્થો માટે આરંભ... પરપીડન એટલે હિંસા...
પૃથ્વી, પાણી, વનસ્પતિ આદિનો ભોગ લઈને આપણે જીવીએ અને જરૂર પડે ત્યારે તેના માટે કાંઈ નહિ કરવું ? માણસનું કર્તવ્ય છે કે તે પોતાનાથી નબળાનું રક્ષણ કરે.
પ્રણિધાનનો અર્થ છે : પોતાનાથી હીન જીવો પર કરુણા સાથે ભાવાÁ બનતું મન !
અધિક ગુણી પ્રત્યે પ્રમોદ. સર્વ જીવો સાથે મૈત્રી.
સ્વજનના સુખે તમે સુખી, દુઃખે દુઃખી થાવ છો. સ્વજનોનો સંબંધ તમે છોડતા નથી. ભગવાન કહે છે : જગતના સર્વજીવો તમારા સ્વજનો જ છે. એમની સાથે તમે સંબંધનો છેડો ફાડી શકો નહિ. મારે શું લેવા દેવા જીવો સાથે ? - એમ તમે કહી શકો નહિ. તમારી જવાબદારીથી છટકી શકો નહિ. છટકવા પ્રયત્ન કરો તો ડબ્બલ સજા મળે.
નવ + અતિ + ય = ગવાતિઋાય !
અનંત જીવોના + અનંત પ્રદેશોનો + સમૂહ = જીવાસ્તિકાય !
આમાંથી એક પણ જીવ કે એક જીવનો એક પ્રદેશ પણ બકાત રખાય તો જીવાસ્તિકાય ન કહેવાય. એમ ભગવતી સૂત્રમાં ભગવાને કહ્યું છે.
ભગવાને કોઈને બકાત નથી રાખ્યા, આપણે બધાને બાકાત રાખ્યા; આપણી જાત સિવાય.
જીવમાત્ર સાથે સ્નેહભાવ - આત્મભાવ - મૈત્રીભાવ રાખ્યા વિના ધ્યાન લાગી શકતું નથી. એ ધ્યાન નહિ, ધ્યાનાભાસ હોઈ શકે.
સર્વ જીવો સાથે આત્મતુલ્ય વર્તન કરવું, માત્મવત્ સર્વભૂતેષ - આમ જૈનેતરોનું પણ કથન છે.
૧૪૨
=
=
=
=
= =
=
=
* * *
* * કહે