________________
- થોશી (૪) રાષfa , વિ.. ૨૦૧૫
અષાઢ વદ ૧૪ ૧૦-૦૮-૧૯૯૯, મંગળવાર
શ્રાવક ધર્મ, સાધુ ધર્મનો પૂર્વાભ્યાસ છે. શ્રાવક ધર્મનું પાલન કરતો કરતો હું સાધુ ધર્મને યોગ્ય બનું, એવી શ્રાવકની ભાવના હોય.
સંસારનું ચક્ર ચાલુ રહે છે - પ્રભુની આજ્ઞાના વિરાધનથી.
સંસારનું ચક્ર અટકે છે – પ્રભુની આજ્ઞાના આરાધનથી. આશ્રવ સંસારનો, સંવર મુક્તિનો માર્ગ છે.
આ ભગવાનની આજ્ઞા છે. નિઃશંક બનીને પ્રભુની આ આજ્ઞા પાલન કરનાર અવશ્ય સંસાર તરી જાય છે.
ચિત્તમાં સંકલેશ હોય ત્યાં સુધી સ્થિરતા નથી આવતી. સ્થિરતા ન આવવાના કારણે પ્રભુમાં મન લાગતું નથી.
હિંસાદિના કારણે ગૃહસ્થોનું મન સંક્લિષ્ટ રહે છે માટે જ સંયમનું સંપૂર્ણ પાલન થઈ શકતું નથી. જો થઈ શકતું હોય તો તીર્થકરો કે ચક્રવર્તીઓ સંસારનો ત્યાગ કરત નહિ.
કહે
=
=
=
=
=
=
=
=
=
૧૪૧