________________
મળી શકશે ? કઈ કિંમતથી આપણે મોક્ષ નામની ચીજ ખરીદવા નીકળ્યા છીએ ?
હેમચન્દ્રસૂરિજીના યોગશાસ્ત્રનો ૧૨મો પ્રકાશ જુઓ : આત્માનુભૂતિનું વર્ણન છે. યશોવિ.ના ઉદ્દગારો જુઓ :
મારે તો બનનારું બન્યું જ છે, (એટલે કે અનુભવનો આસ્વાદ મળી ચૂક્યો છે) હુ તો લોકને વાત શીખાઉં રે;
વાચક “જસ' કહે સાહિબા, એ ગીતે તુમ ગુણ ગાઉં રે...”
આત્માનુભવ આ જ જન્મમાં થવો જોઈએ. તો જ જીવનની સફળતા છે. ન મળે ત્યાં સુધી ઝંખના રહેવી જોઈએ. તડપન જોઈએ : હજુ નથી મળ્યું ? ક્યારે મળશે ? ક્યારે મળશે ? મારો સમય વ્યર્થ જઈ રહ્યો છે, આત્માનુભૂતિની ઝલક વિના.
કરોડ રૂપિયાની દુકાનમાં તમે વેપાર કરો કે પાના રમો ? આત્માનુભૂતિ મળી શકે તેવા આ ભવમાં તે માટે પ્રયત્ન કરવો કે પશુ - સુલભ ભોગો માટે ?
૧૦મી ચીજ છે : વિજ્ઞાન-વિશિષ્ટ બોધ, જે ભગવાન આપે. ભગવાન ક્યારેક ગુરુના માધ્યમથી આવે છે, ક્યારેક બીજા કોઈ નિમિત્તથી પણ આવે છે.
હમણા નવસારીમાં રત્નસુંદરસૂરિજીએ પૂછેલું : ભગવાનની કરૂણા મારા પર છે, એમ હું શી રીતે માનું ? મેં કહ્યું : “તમે દીક્ષા શી રીતે લીધી ?'
શિબિરમાં ગયેલો, ભુવનભાનુસૂરિએ પકડી લીધો. લીધી દીક્ષા.'
તમને જ કેમ પકડ્યા ? બીજાને કેમ નહિ ?' આ જ ભગવાનની કૃપા છે એ ગુરુના માધ્યમથી આવે છે. ગુરુ પણ આખરે તો ભગવાનના જ ને ?'
- દુઃખ કરતાં સુખ ભયંકર છે. સાધ્ય ચૂકાય છે; અનુકૂળતા દ્વારા. આપણે પ્રતિકૂળતાથી ગભરાઈએ છીએ. ખરેખર એ જ મિત્ર છે. અનુકૂળતાથી આપણું સત્ત્વ દબાઈ જાય છે.
૧૧૬
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧