________________
N)
તાંa (ાજી) રાજુમતિ
રિવાજ
S
અષાઢ વદ ર ૩૦-૦૭-૧૯૯૯, શુક્રવાર
ભગવાને ૩૦ વર્ષ સુધી તીર્થને સ્થિર બનાવવા લગાતાર છ-છ કલાક સુધી સતત દેશના આપી. કારણ કે – માણસનો ભૂલકણો સ્વભાવ છે. એને પુનઃ પુનઃ યાદ કરાવવા છતાં એ પુનઃ પુનઃ ભૂલી જાય છે. માટે જ પુનરાવર્તન પર આટલું મહત્ત્વ આપવામાં આવે છે.
ભણેલું કેમ ભૂલાઈ જાય છે ? પુનરાવર્તન ન કર્યું માટે. ભણો છો ત્યારે જ્ઞાનાવરણીય કંઈક તૂટે, પણ બાકીના સમયે શું થાય છે ? જ્ઞાનાવરણીય સતત બંધાતું જ રહે છે, એથી જ આપણે ભણીએ છીએ, તેથી ભૂલીએ છીએ વધુ.
દીક્ષા લીધા પહેલાના કેવા ઉત્તમ મનોરથો હતા ? હવે એ કેમ ભૂલાઈ ગયા ? માટે જ પાંચેય આચારોનું પાલન સતત કરવાનું છે; જ્યાં સુધી ક્ષાયિક ભાવ ન આવે ત્યાં સુધી ક્ષાયોપથમિક ભાવોની તો સતત માવજત કરવી જ રહી. એ ક્યારે ચાલ્યા જાય, કાંઈ કહેવાય નહિ.
- શાસ્ત્રનું અધ્યયન ગુરુ પાસે કરવાનું મુખ્ય કારણ
કહે
*
*
*
*
*
*
*
*
*
*
*
૯૩