SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ કેળવણી ૩૧ વસમીકરણ(કવાડ્રેટિક ઇક્વેશન)ના દાખલા આાવી જતા હતા. આ બધુ... & થી ૧૨-૧૩ વર્ષની ઉંમર સુધીમાં શીખવવામાં આવતું. ગુજરાતમાં સામાન્ય રીતે અભ્યાસ કરવાની મુદ્દત ૨ થી ૩ વર્ષની હતી.. દરરોજ શિક્ષકને અનાજ શાકભાજી કે રોકડા પૈસા આપવાના રિવાજ હતા, આથી શિક્ષક વિદ્યાર્થીની હાજરી માટે વધારે ચેકસાઈ રાખતા. આ ઉપરાંત અમુક અભ્યાસ પૂરા કર્યા બાદ હપ્તા પ્રમાણે શિક્ષકને પુરસ્કાર મળતા એટલે અભ્યાસ પૂરા કરાવવા તરફ એ વધારે લક્ષ આપતા. અભ્યાસ બાદ ૧૨ કે ૧૩ વર્ષોંની ઉંમર પછી વિદ્યાથી શાહુકારની પેઢીએ બેસતા અને ત્યાં એક-બે વર્ષી ઉમેદવારી કરી એ ગમે તે ધંધે વળગતા.૨ નિશાળને સમય સવારના સાતથી અગિયાર વાગ્યા સુધીનેા અને પછી મેથી પાંચ વાગ્યા સુધીના રહેતા. સવારે જે છેકરા આવે તે મહેતાજી માટે મુઠ્ઠી લાવતા, અર્થાત્ એક કકડામાં અનાજ બાંધી લાવતા. નિશાળે આવ્યા બાદ. છેાકરા પાટી પર ધૂળ નાખી પેાતાને જે પાઠ લખવાના હેાય તે લખતા. લખીને મહેતાજીને કે એમના મદદનીશને કે વડા નિશાળિયાને બતાવતા. છેાકરા ધૂળમાં ભોંય પર ખેસી ભણુતા હતા અથવા આગળપાછળ આટલા હેાય તે પર બેસી હાથમાં લખેલાં પાનાં લઈ ઉધાડે માથે છાતી અને માથું ધુણાવતા ધુણાવતા માટેથી ભણુતા. દસેક વાગ્યાના વખત થાય એટલે મહેતાજી જે ખે છેકરાઓએ. નામ લખ્યાં હેય તેમને પેાતાની પાસે ભોંય પર ઊભા રાખતા. એ દરમ્યાન દરેક જણ પેાતાના પાટલે નિશાળમાં મૂકી દેતા. દરેકને હારબંધ ઊભા રાખી, શિક્ષક નતે હાથમાં સાટી લઈ સવાયા' સવા અઢી, પાણા ચાર, પાંચ, એવી રીતે. હારે સવા સાડી બારસે સુધી ઘાંટા પાડી ભણાવતા હતા. આ સવાયા’ તા દરેક છોકરાને માટે હાય. નિશાળ સવારે છૂટે કે દરેક છોકરાએ પાટી લખવી જોઈએ. પાટી સફેદા કે ખડીથી લખવામાં આવતી હતી. એ પાટી ઉપર આંક ભણનાર ‘આંક' કક્કો ભણનાર ‘કક્કો’ કે ‘બારાખડીનાં પદ’, નામું ભણનાર ‘નામુ’ અને હિસાબ ભણનાર 'સાડા સાતને પા' લખતા હતા. જે છોકરી પાટી ન લખી લાવ્યેા હાય તેને મહેતાજી શિક્ષા કરતા.૪ વિદ્યાર્થી એ વખતેવખત ગુરુની એકદિલથી સેવા બજાવતા.૫ નામ માલાય અને છેાકરા મહેતાજી પાસે ગયા કે હાથ ધરે ને મહેતાજી જરા સાટી હથેળીમાં અડાડે એટલે છેાકરાને રા મળી કહેવાય. રા મળતાં જ છેકરા પેાબારા ગણી જતા. આ નામ જે માલાતાં તેને મેડા' કહેતા. માડા'ના હુકમ આપે. કાઈ કાઈં દિવસે “હાજરી” મહેતાજી ક્રાઈ દિવસે છોડતી વખતે સવારે
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy