SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧ કેળવણી ૧. જુની પરિપાટી (અ) ગુજરાતી શિક્ષણ અંગ્રેજોના આગમન પહેલાં હિંદમાં ઘણા લાંબા સમયથી ચાલી આવતી કેળવણીની અનોખી પદ્ધતિ પ્રચલિત હતી. આવી કેળવણી આપતી સંસ્થાઓ ગામઠી શાળાઓ, પંડયાની શાળાઓ કે ધૂળિયા નિશાળ તરીકે ઓળખાતી. ગામઠી નિશાળમાં સામાન્ય રીતે બાળક સાત વર્ષને કે એનાથી વધુ ઉંમરને થાય ત્યારે એને દાખલ કરવામાં આવતું. શાળાએ બેસાડવાની વિધિને “વિદ્યારંભ- સંસ્કાર” કહેતા. સારા મુહૂર્તવાળા દિવસે બાળકને જે શાળામાં મોકલવામાં - આવનાર હોય તે શાળાના પંડ્યા કે ગુરજી અને બધા વિદ્યાર્થીઓ શાળામાં બેસનાર વિદ્યાથીને ઘેર આવતા ને શિક્ષક “સરસ્વતી, સરસ્વતી, તું મારી માત વગેરે પ્રાર્થના ગવડાવતા, સરઘસાકારે ગામમાં ફરીને વિદ્યાથી સહિત નિશાળે આવતા. અહીં પહેલાં વિદ્યાર્થી પાસે સરસ્વતીનું પૂજન કરાવતા. ત્યારબાદ ચેખા પૂરેલા મંડળ(વર્તલ)માં આંગળી પકડી બની કલમથી કે ચાંદીની કલમથી શિક્ષક શ્રી ભલે” વગેરે એની પાસે લખાવતા. ત્યારબાદ પતાસાં ધાણી દાળિયા કે મીઠાઈ બધાં બાળકોને વહેંચવામાં આવતાં. શિક્ષકને સવા શેર સાકરને પડે, નાળિયેર અને શક્તિ પ્રમાણે ગુરુદક્ષિણા આપવામાં આવતી. શિક્ષણની શરૂઆત સાતમે કે નવમે વર્ષે એકડાથી થતી. છએક મહિનામાં - આંક પૂરા થતા ને તરત કક્કો શરૂ થતે, કક્કો બરાબર આવડ્યા બાદ બારાખડીનાં પદ શીખવવામાં આવતાં ને પદ પૂરાં થયા બાદ “ક” થી “ સુધી શરૂ થતાં " ઉદાહરણમક નામ શીખવતા હતા. આ દરમ્યાન સાડા સાતને પાડો શરૂ થતો. અને જે સાડા સાતના પાડામાં પૂર્ણ થતે તેને મેઢાના હિસાબની કૂંચીઓ મહેતાજી શીખવતા. એમ ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી પણ શીખવવામાં આવતાં હતાં. એમાં આશુપાણ એટલે પા રૂપિયે, આને અને પા આને દર્શાવતી અનુક્રમે ઊભી આડી અને ઊભી રેખાઓ પણ આવી જતી. અને છેલ્લા હિસાબમાં 'હડાકાર શીખ્યો એટલે એ પરિપૂર્ણ થયે કહેવાતે, હડાકારમાં વર્ગમૂળ ઘનમૂળ અને
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy