SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ જુ..] અકબરથી ઔર’ગઝેમ [et ૧૬૬૮ થી ૧૬૭૦ દરમ્યાન કેટલાંક વહીવટી પગલાં લેવામાં આવ્યાં. અમદાવાદ જિલ્લાના હવેલી પરગણામાં આવેલી અડાલજની વાવને પ્રાંતીય તિજોરીમાંથી બે હજાર રૂપિયા ખચી દુરસ્ત કરાવવામાં આવી. એક હુકમમાંઢાર પરની જકાત રાખેતા મુજબ એટલે કે દર વર્ષે મૂળ કિંમત પર મુસ્લિમે પાસેથી અઢી ટકા અને હિંદુ પાસેથી પાંચ ટકા પ્રમાણે લેવાનું જણાવવામાં આવ્યું હતું.. ગામડાંના લેાકેાએ શાહી સૈનિકા અને પાયદળના સૈનિકાને ખાધાખારાકી દેવા. પ્રમાણમાં પૂરી પાડવી એની વિગતા આપવામાં આવી હતી અને એ લેાકાએ કરેલા ખર્ચ એમની પાસેના શાહી લહેણામાંથી મજરે કાપી આપવા કરાડી અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. અમદાવાદ ખાતે રાજ્યના કામે ખેલાવવામાં આવતા કડિયા સુતાર અને બીજા કારીગરે તે નીચાં વેતન મળતાં. હાવાની ફરિયાદ પરથી એમને શહેરના અન્ય કારીગરાતે જે દરે વેતન મળે છે તે દરથી વેતન આપવા હુકમ કરાયા હતા. ઔરંગઝેબ રાજ્યનાં જાહેર કર્યાને ભારે મહત્ત્વ આપતે. એને સમાચાર મળ્યા કે ગુજરાતના અદાલતી અધિકારીએ. અદાલતમાં માત્ર એ દિવસ અને સૂમેદારના દરબારમાં પણ માત્ર એ દિવસ. હાજર રહે છે અને અન્ય દિવસે રજાના દિવસેા તરીકે ગાળે છે, એ જાણીને એને ભારે નવાઈ લાગી,તેથી એણે ગુજરાતના દીવાન પર હુકમ મેકલી જણાવ્યું કે હવેથી ન્યાયાધીશેાએ અડવાડિયામાં પાંચ દિવસ અદાલતમાં હાજર રહેવુ, એક દિવસ સૂક્ષ્મદારના દરબારમાં હાજર રહેવુ અને શુક્રવારે રજા પાળવી. ૧૬૭૦ માં બહાદુરખાનને દખ્ખણના યુદ્ધને હવાલા સંભાળી લેવા જવાને હુકમ કરાયા અને એની જગ્યાએ મહારાજા જશવંતસિંહ, જે એ' વખતે મુરહાનપુરની છાવણીમાં હતા, તેને નીમવામાં આવ્યા. જશવંતસિંહ આવે ત્યાં સુધી કુત્બુદ્દીનખાનને વહીવટ ચલાવવા આદેશ અપાયા હતા. મહારાજા જશવ‘તસિહ (બીજી વાર ઈ.સ. ૧૬૭૦–૭૨) માન જશવંતસિંહની ખેદારીનૢા સમયમાં નવાનગરની ગાદી પર જામ તમાચીને પુનઃસ્થાપિત કરવામાં આવ્યે. અન્ય નોંધપાત્ર બનાવામાં એક શાહી (જૂન ૧૨, ૧૬૭૨) વિશેષ ધ્યાનપાત્ર છે. એ દીવાન મુહમ્મદ હાશીમખાનને સ ંખેાધીને લખાયું હતું. એ ક્રૂરમાનમાં ૩૩ પ્રકારના ગુનાએ અને એને માટેની સાએ વર્ણવવામાં આવી છે. એ ફરમાનને ઔરંગઝેબના શાસનના લઘુ ફોજ-દારી ધારા' કહી શકાય. સૌરાષ્ટ્રમાં હળવદ રાજ્યની બાબતમાં મુઘલ દરમ્યાનગીરી કરવામાં આવી.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy