________________
ૐ જુ']
ગુજરાત સલ્તનત ઃ સ્થાપના અને સ્થિરતા
સુલતાન મુહુમ્મદશાહુ ૧લા (ઈ સ. ૧૪૦૩ થી ૧૪૦૪)
તાતારખાને દિલ્હી સલ્તનત ઉપર કાબૂ મેળવવાની મજકૂર મહત્ત્વાકાંક્ષાને ત્યાગ કર્યાં ન હતેા. એણે ઈ.સ. ૧૪૦૩ માં એની પુરાણી યેાજના અમલમાં મૂકવા દેવાની વિનંતી પિતા ઝફરખાનને કરી અને એણે એવી ખાતરી પણ આપી કે દિલ્હીના લેાકેા પેાતાના શાસક તરીકે મને જરૂર સ્વીકારશે.' સાઠ વર્ષની વયના, રાજકારણમાં રીઢા અને અનુભવી ઝફરખાને એ ખાટું સાહસ સાથે વહેારવાની સંમતિ ક્રમે કરી આપી નહિ. બૂઢા બાપ કાઈ પણ રીતે એની મમતથી ચલિત થાય એમ નથી એવું તાતારખાનને લાગ્યું ત્યારે એણે થાડા સમય બાદ એને જકડી લઈને અસાવલમાં કેદ કરાવી દીધેજ અને ત્યાં ઈ.સ. ૧૪૦૩ ના ડિસેમ્બર ૧૪૦૪ ના જાન્યુઆરી દરમ્યાન ‘મુહમ્મદશાહ' ખિતાબ ધારણ કરીને પાતે તખ્ત ઉપર બેઠો. આમ નાઝિમ ઝરખાન ગુજરાતને પ્રથમ સ્વતંત્ર શાસક બન્યા હતા, પણ ગુજરાતને પ્રથમ સત્તાવાર સુલતાન તે। એને પુત્ર તાતારખાન થયું.
[૫૧
તખ્તનશીન થયા પછી તરત જ સુલતાન મુહમ્મદશાહ ભરૂચની પૂર્વમાં રાજપીપળા પાસે આવેલા નાંદોદનાપુ બળવાખેાર હિંદુ ગેાહિલ રાજા ગેમલસિંહજીને ક નસિયત કરવા પહોંચ્યા અને એને શરણે લાવી એની પાસેથી ખંડણી ભરવાનું કબુલાવ્યું. ત્યાંથી એ દિલ્હીની દિશામાં કર્યાં ત્યારે પહાડમાંની જ ગલી આખેહવાને લઈ ને રસ્તામાં નર્મદા નદીના ઉત્તર કાંઠા ઉપર આવેલા શિનેરમાં એની તબિયત બગડી અને એ ગુજરી ગયા.
એના એકાએક થયેલા અવસાનના કારણની બાબતમાં કેટલાક ઇતિહાસકારા કહે છે કે એને શરાબની એવી તેા લત હતી કે તખ્તનશીની પછી મે મડિના અને થાડા દિવસમાં જ એ એના ભાગ બન્યા.૭ એ અંગે ખીજું કારણ- એ પણ આપવામાં આવે છે કે ઝફરખાનના નાના ભાઈ શમ્સખાન દમદાનીને તાતારખાને ‘નુન્નતખાન'ને ખિતાબ આપી વકીલુસ સલ્તનત (મુખ્ય વજીર) નીમ્યા હતા. ઝખાને એની પાસે છૂપી રીતે પેાતાને ખાસ વિશ્વાસુ માણસ મેકલી એની મારફત એને પેાતાની ખરાબ કેદી દશાથી વાકેફ કર્યાં અને તાતારખાનને ખતમ કરી પેાતાને એની પકડમાંથી છેડાવવા વિનંતી કરી. શમ્સખાન એ સમયે તાતારખાન (સુલતાન મુહમ્મદશાહ ) સાથે શિનાર નજીક નાખેલી છાવણીમાં હતા. પેાતાના વડીલ બંધુને મુક્ત કરવા એણે પેાતાના ભત્રીજા તાતારખાનને શરાબમાં ઝેર૧૦ અપાવી ભરાવી નખાવ્યા અને એ પછી અસાવલ પહેાંચી ઝફરખાનને કેદમાંથી બહાર