________________
૨)
સલતનત કાલ
તથા અણહિલવાડ પાટણ સુધી પ્રસરી ગયો. સદા અમીર ઘોડા શસ્ત્રો અને ધનદેલત મેળવી શક્તિશાળી થઈ ગયા હતા.
એ સમયે મલેક મુબિલને ગુજરાતનું મહેસૂલ તેમ ઘડા તથા ભેટ લઈ અણહિલવાડ પાટણથી દિલ્હી જવાનું હતું. એ વડોદરા તથા ડભોઈ તરફથી જઈ રહ્યો હતો. સદા અમીરોને એ બાબતની બાતમી મળી જતાં તેઓ સરખેજ આગળ મલેક મુફબિલ ઉપર અચાનક તૂટી પડ્યા, મલેક મુફબિલ એમની સામે ટકી શકયો નહિ અને મહામુસીબતે જાન બચાવી અણહિલવાડ પાટણ તરફ નાસી ગયો.૨૨
એની પાસેનું તમામ દ્રવ્ય હાથમાં આવ્યું હોવાથી અમીરોમાં જેર આવ્યું. એમણે લશ્કરી ભરતી કરી મોટા બળવાની તૈયારી કરી અને ખંભાત તરફ કૂચ કરી એને કબજે લીધો.૧
એ પછી બળવા માટે તેઓ આજુબાજુ વેરાઈ ગયા. કેટલાકે મુખ્ય ધોરી ભાર્ગોના સંગમ ઉપર આવેલા અસાવળને ૨૦ દિવસ ઘેરો નાખી જીતી લીધું અને પરિણામે દક્ષિણ ગુજરાતમાંનાં ભરૂચ જેવાં મુખ્ય કેન્દ્રો સાથેને નાયબ વઝીર મલેક મુફબિલને સંબંધ કપાઈ ગયે, આથી એણે કુમક મોકલવા માટે માળવાના હાકેમ અઝીઝ ખમ્મારને વિનંતી-પત્ર મોકલ્યો.
એણે બનેલા તમામ બનાવની વિગત દિલ્હી સુલતાન ઉપર પણ મેકલી આપી.
અઝીઝ ખમ્મારે મલેક મુફબિલને પત્ર મળતાંવેંત મલેક જહાન ચુમ્બલ સાથે સાત હજારની ફેજ લઈ ગુજરાત તરફ કૂચ કરી અને એ વિશેની ખબર સુલતાન ઉપર દિલ્હી મોકલી આપી. અઝીઝ ખમ્માર યુદ્ધ લડવામાં નિષ્ણાત ન હોવાથી સુલતાનને ડર હતો કે કદાચ એ માર્યો જશે, આથી એણે નીકળવાની તૌયારી કરવામાં જલદી કરી ૨૪
અઝીઝ ખમ્માર ફોજ લઈ ગુજરાતમાં આવી તે પહે, પણ ડભોઈમાં એને સદા અમીરોના લશ્કરના સૈનિકે એ ઘેરી લીધો ત્યારે એ ગભરાઈને બેભાન થઈ ગયા અને ઘોડા ઉપરથી ભેય ઉપર પટકાઈ પડયો. સદા અમીરોના સૈનિકે એ તત્કાળ એની કતલ કરી.૨૫ શાહી ફોજ વેરવિખેર થઈ ગઈ
સુલતાને ૧૩૪પના જાન્યુઆરીની ૩૧મીએ દિલહીથી કુચ કરી. માર્ગમાં અઝીઝ ખમ્મારને મલેક મુબિલને મદદ કરવા નીકળ્યા બાબતની અને પાછળથી એ માર્યા ગયાની ખબર આપતો પત્ર મળ્યો, આથી એ ઘણે પરેશાન થયે.