________________
પરે ]
ગુજરાતમાં ઇસ્લામના ફેલાવા અને એની અસર
{ ૩૯૯
ગુજરાતના સુલતાનેએ મસ્જિદો અને નહેલા જેવી જ ઇમારત પાસે તેમજ અન્યત્ર છૂટી જગ્યાએમાં બાગબગીચા કરાવી એમાં ઈરાન તુર્કસ્તાન બલુચિસ્તાન તેમજ અધાનિસ્તાનનાં વૃક્ષ ગુજરાતની ભૂમિનાં વાવ્યાં. ત્યારથી અનાર અજીર્ અંગૂર આલુ જરદાલુ તરબૂચ નારંગી નાસપતી ાલસા કુદીને બદામ સફરજન વગેરે લીલાચૂકા મેવાને અહીં વ્યાપક વપરાશ શરૂ થયેા.૪૫
પ્રસ્તુત કાલમાં હિંદુએના પોશાક પર મુસ્લિમ પોશાકને કાઈ પ્રભાવ પડયો હતા કે કેમ એ નિશ્ચિત કરી શકાતું નથી.
મુસ્લિમાના સંપર્કથી ગુજરાતી ભાષામાં અરબી-ફ઼ારસી શબ્દોને વપરાશ વચ્ચે। હાવાનું પ્રસ્તુત કલની સમરારાસુ રણમલ છંદ્ર કાન્હડદેપ્રબંધ, વિમલપ્રાધ વગરે કૃતિઓ પરથી જણાઈ આવે છે; જેમકે અમુક મીઠાઈઓ અને મેવાએનાં નામ, અસવાર, કમાલ, કારીગરી, ખરચી, ખુદા, ખુશી, ચાચી, જવહરી (ઝવેરી), જંજીર, તેજી (તેજસ્વિતા), તેા ખાર (ધાડા), બકાલ, બાજાર, ભાંદી, ખીખી, મજૂર. મીર, લાંચ, સાહિબ વગેરે ૪૬
ખીજી બાજુ મુસ્લિમ સમાજજીવન પર હિંદુ સંસ્કૃતિને। પ્રભાવ પણ પડા લાગ્યા. જે આખી ને આખી જ્ઞ તિએ ઇસ્લામ અંગીકાર કર્યાં તેઓએ પેાતાની અગાઉની રહેણીકરણી, પરંપરાગત પ્રથાએ અને માન્યતાએ ચાલુ રાખી, મુસ્લમ કુટુ ંબોમાં પરણેલી હિંદુ સ્ત્રીઓએ અનેક હિંદુ પ્રથાઓને મુસ્લિમ પરિવારમાં પ્રસ્થાપિત કરી.
હિંદુ જ્ઞાતિવ્યવસ્થા જેવા જ વર્ગભેદ મુસ્લિમ સમાજમાં પ્રવર્ત્યા. અગાઉ તુ અફધાન ઈરાની તુરાની જેવા ભેદ હતા, પણ એમનું સ્વરૂપ હિંદુ જ્ઞાતિ જેવુ નહાતું, પણ હવે ધીમે ધીમે ધધે આંતરલગ્ન કાટિક્રમ અને કપશુદ્ધિની ભાવના પર આધારિત જ્ઞાતિપ્રથા મુસ્લિમ સમાજમાં પણ સ્પષ્ટ થવા લાગી. સૈયદ શેખ પઠાણુ વણકર વગેરે જ્ઞાતિ લગ્નવ્યવહાર માટે જ્ઞાતિમર્યાદા અપનાવવા લાગી,૪૭
ઇસ્લામમાં તલાક અને વિધવાપુન લગ્નની દૃષ્ટ હતી, પરંતુ તત્કાલીન હિંદુ સમાજની અસરથી એને પ્રચાર ઘણા ધટી ગયા ૪૮
હિંદુએની અસરથી મુસ્લિમા પાન ખાવાના શોખીન બની ગયા. હિંદુ કન્યાએએ મુસ્લિમા સાથે લગ્ન કર્યાં પછી સેંથીમાં સિંદૂર પૂરવાનું ચાલુ રાખ્યું, જેનું અનુકરણ અન્ય મુસ્લિમ સ્ત્રી પણ કરવા લાગી.
હિંદુ સમાજની માન્યતા મુજબ ભૂત-પ્રેત અને ડાકણમાં માનવું, નજર લાગવાની બાબતમાં વિશ્વાસ કરવા, મંત્રયુક્ત યંત્ર કે દારા અથવા તાવીજ