SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ મું] સામાજિક સ્થિતિ સ્વીકાર્યો. કેટલાકે રાજકીય લાભ ખાતર અને કેટલાકે બળાત્કારે ઇસ્લામને સ્વીકાર કર્યો. ઇસ્લામના પ્રચારાર્થે ભારતમાં આવેલ સૂફીઓ ફકીરો અને દરવેશેનું ઉચ્ચ ચારિત્ર્ય, બંદગીમય જીવન અને ત્યાગભાવનાથી પ્રેરાઈને તથા મુહમ્મદ પેગંબર સાહેબના સામાન્ય માનવી માટે ઉપદેશેલા સામાજિક સમાનતા અને બંધુત્વના સિદ્ધાંતથી પ્રભાવિત થઈને ઘણા લોકોએ ઈસ્લામને સ્વીકાર કર્યો. પરંતુ એ રીતે ધમતર કરનાર મોટો ભાગ ભારતીય હિંદુ વર્ણવ્યવસ્થાથી ત્રાસી ગયેલ ઊતરતી ગણાતી અજ્ઞાન જાતિઓને હતો. સુલતાન મહમૂદ બેગડાના સમયમાં હઝરત શાહ આલમ સાહેબ અને સુલતાન મુઝફરશાહ ૨ જાના સમયમાં પીર શાહ તાહીર સાહેબે અનેકને ઇસ્લામમાં આપ્યા હતા. પીરાણવાળા હઝરત ઈમામશાહે પણ ધણા હિંદુઓને ઇસ્લામમાં આણ્યા હતા. પરંતુ તુર્કે ભારતમાં આવીને રાજ્યકર્તા બન્યા પછી ધર્માતરની એ પ્રક્રિયા જો કે ચાલુ રહી, પરંતુ ઇસ્લામી ઉસૂલથી પ્રભાવિત થઈને ધર્માતર કરનારાઓની સંખ્યા ઘટી ગઈ. એમ છતાં મુસ્લિમ શાસનમાં રાજકીય દૃષ્ટિએ મુસલમાનોને થતા ફાયદાને લાભ લેવાની લાલચે ઘણા લેક ઇસ્લામ રવીકારતા. બળાત્કારે મુસલમાન બનાવવાની પ્રવૃત્તિ ગુજરાતના સુલતાનના સમયમાં ચાલુ હતી. સુલતાન અહમદશાહ ૧ લે, મહમૂદ બેગડે અને મહમૂદ ૨ જે–એ ત્રણ સુલતાનેએ ઈ:લામને ફેલાવો કરવા ખાસ પ્રયત્ન કર્યા હતા.૪૭ અહમદશાહે બે વખત ઈ.સ. ૧૪૧૪ માં અને ઈ.સ. ૧૪૨માં હિંદુઓ પાસે ફરજિયાત ઈસ્લામ સ્વીકારાવાના કાનૂની પ્રયાસ કર્યા હતા. જે રાજપૂતો આ રીતે ઇસ્લામમાં આવ્યા તેઓ મોલેસલામ' કહેવાયા અને વાણિયાઓ તથા બ્રાહ્મણ વહાર એમાં ભળી ગયા. મહમૂદ બેગડાએ ઘણા રાજપૂત રાજાઓને ઇસ્લામમાં આપ્યા હતા. જૂનાગઢને રાંમાંડલિક મુસલમાન થયા પછી બેગડાના દરબારને ખાખાના 1 (ખાને જહાન) થયું હોવાનું ઇતિહાસમાં સેંધાયું છે. ૪૮ એના કહેવાયેલા ધમતર પછી સૌરાષ્ટ્રમાં ઇસ્લામને પ્રચાર ખૂબ જોરથી થયો હતો. વિવિધ મુસિલમ કોમે આમ સલ્તનતના સમયમાં ગુજરાતના મુસ્લિમ સમાજમાં દેશી વિદેશી એમ બંને તરોને સમાવેશ થતો હતો. મુસલમાને ગુજરાતનાં બધાં જ શહેરો અને ગામડાંઓમાં વસી ગયા હતા. આ રીતે બનેલ મુસ્લિમ સમાજ અનેક જ્ઞાતિઓ, કમો અને પેટાકમાં વિભક્ત હતા. અન્ય દેશોને મુસ્લિમ કરતાં ભાસ્તી અને
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy