SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦) સતત કાલ પ્રિ. શાબાન ઇમાદુલમુક જ એના પદ ઉપર ચાલુ હતો. એના પ્રત્યે સલતનતના મહાન અમીરાને ઠેષ હતો. એમણે સુલતાનને એ વજીરની સામે ચડાવ્યો અને સુલતાનને પદભ્રષ્ટ કરવાનું કાવતરું એ યોજી રહ્યો હોવાનું જણાવ્યું. સુલતાનને રાજકીય આંટીઘૂંટી અપરિચિત હતી તેથી એણે વજીરને કેદ કરાવ્યું. રાત્રિ દરમ્યાન મલેક શાબાન નિર્દોષ હોવાનું જણાતાં સુલતાને એની વાલિદા તથા પોતાના ખાસ અમલદારો સાથે મસલત કરી અને મલેક શાબાનને મુક્ત કરી, દગાબાજ અમીરને કેદ કરી એમનાં મકાન લૂંટી લેવાનો હુકમ કર્યો. તોફાની અમીરોને આ હુકમની ખબર મળી ત્યારે તેઓ શસ્ત્રસજજ થઈ પોતાની ફોજ સાથે ભદ્રમાં આવ્યા. એ સમયે સુલતાન પાસે ત્યાં માત્ર ત્રણ સિપાઈઓ હતા, પરંતુ એની પાંચસોછ હાથીઓની ફોજે હુમલાખોરો ઉપર આક્રમણ કર્યું. અમીરોનું લશ્કર સામને કરી શક્યું નહિ તેથી નાસી છૂટયું. એ પછી એ અમીરોની ગિરફતારી કરાવી સુલતાને એમને એગ્ય સજા ફરમાવી. આ રીતે સુલતાન મહમૂદશાહે કાર્યદક્ષતા વાપરી પિતાની સામે થયેલું કાવતરું નિષ્ફળ બનાવી દીધું, વળી વફાદાર અમીરને ઊંચા હેદા અને જાગીર આપી રાજ્યના સ્તંભરૂપ બનાવ્યા. બહમની સુલતાનને મદદ માળવાના સુલતાન મહમૂદશાહ ખલજીએ બહમનીના બાળ સુલતાન નિઝામશાહના પ્રદેશ ઉપર ચડાઈ કરી, આથી સુલતાન મહમૂદશાહ બેગડા ઉપર રાજરક્ષક તરફથી મદદ માટે વિનંતી આવી.પર સુલતાન મહમૂદશાહ બેગડાએ બે વાર (૧૪૬૧ અને ૧૪૬૩ માં) માળવાના લશ્કરનો રાહ રોકી એને પીછેહઠ કરવાની ફરજ પાડી. વળી માળવાના સુલતાનને જણાવવામાં આવ્યું કે જે હવે પછી બહમનીના બાલ સુલતાન પર આક્રમણ કરવામાં આવશે તે ગુજરાતનું લશ્કર માળવાના પ્રદેશને ખેદાનમેદાન કરશે. આ ધમકીની ધારેલી અસર થઈ. પારડી પર આક્રમણ - ઈ.સ. ૧૪૬૪ માં સુલતાન મહમૂદશાહે વર્તમાન વલસાડ જિલ્લામાં આવેલા કિલ્લા પારડીના હિંદુ રાજા ઉપર આક્રમણ કર્યું, કારણ કે એ ચાંચિયાગીરી કરતો હોવાનું એના જાણવામાં આવ્યું હતું. આક્રમણ થતાં રાજાએ ખંડણી આપવાની તથા વતન સુધારવાની શરત કબૂલ રાખી.પ૩ જૂનાગઢની છત ઈ.સ. ૧૪૬૭ માં સુલતાન જૂનાગઢના ચૂડાસમા રાજા માંડલિકના પ્રદેશ ઉપર આક્રમણ કરવા ભારે તૈયારી સાથે નીકળ્યો અને ગિરનાર પરના ઉપરકેટ
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy