SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ જું] ગુજરાતના પ્રાચીન ઇતિહાસનાં સાધન ગુજરાતના મોચન ઇs શાસ્ત્રોને લગતા ગ્રંથે વગેરે પરથી પણ મુખ્યતઃ તે તે કાલનાં ધર્મ, સાહિત્ય, વિદ્યા, શાસ્ત્રો વગેરે વિશે તેમજ આનુષંગિક રીતે કેટલીક બીજી સાંસ્કૃતિક બાબતો વિશે ઠીક ઠીક માહિતી મળે છે. વિદેશી પ્રવાસીઓએ ભારત વિશે લખેલા કેટલાક ગ્રંથોમાંથી પણ ગુજરાતની તે તે સમયની સંસ્કૃતિ વિશે કેટલીક ઉપયોગી માહિતી મળે છે. “પેરિસ'' નામે ગ્રીક પુસ્તક ૧લી કે ૩જી સદી)માં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સમુદ્રકાંઠા તથા વહાણવટા વિશે સારી માહિતી આપી છે. મિસરના ગ્રીક તેલમાય(તાલેમી)ની “ભૂગોળ (રજી સદીમાં પણ સૌરાષ્ટ્ર અને લાટને લગતા. ઉલ્લેખ આવે છે. ચીની પ્રવાસી યુઅન સ્વાંગે૫૪ “સિયુકી” માં પશ્ચિમ ભારતના પ્રવાસની નેંધમાં ભરુકચ્છ, વડાલી, ખેડા, વલભી, આનંદપુર અને સુરાષ્ટ્રની ભૂમિ, પ્રજા તથા સંસ્કૃતિનો અને વિશેષતઃ એ દરેક પ્રદેશમાં ત્યારે (ઈ.સ. ૬૪૦ ના અરસામાં) પ્રવર્તતી બૌદ્ધ ધર્મની સ્થિતિને પરિચય આપ્યો છે. ચીની પ્રવાસી ઈ-સિંગે (ઈ.સ. ૬૭૧-૬૯૫).ગુજરાતની મુલાકાત લીધી નહોતી, પરંતુ ભારતના વસવાટ દરમ્યાન પશ્ચિમ ભારતમાં પ્રવર્તતી બૌદ્ધ ધર્મની સ્થિતિ વિશે માહિતી મેળવીને નોંધી છે. એમાં એણે કરેલે વલભીના વિદ્યાપીઠની નામના ઉલ્લેખ ખાસ. સેંધપાત્ર છે. અરબ અને ઈરાની મુસાફરનાં સફરનામાંમાં પણ ગુજરાતની પ્રાચીન સ્થિતિ વિશે કેટલાક મહત્ત્વના ઉલ્લેખ મળે છે. દા. ત. મદીએ પોતાના પુસ્તક ઈ.સ. ૯૪૩)માં ખંભાત અને ભરૂચ વિશે નોંધ્યું છે.૫૫ ન રદ્દીન મહમ્મદ ઓફિસે લગભગ ઈ.સ. ૧૨૭૦) પોતાના નામે-- દિયતમાં સિદ્ધરાજના વખતમાં ખંભાતમાં મુસલમાનોને થયેલી હેરાનગતી અને સિદ્ધરાજે એમને આપેલા ન્યાયની બીના સિંધી છે. મહમૂદ ગઝનવી સાથે હિંદમાં આવેલ અલ બીરૂનીએ “વિતાવુદિઃ ” (લગભગ ઈ.સ. ૧૯૩૦) માં વલભીના નાશ અંગેની તથા વલભી સંવતની. માહિતી આપી છે. ૫૭ બલાઝરી (મૃત્યુ ઈ.સ. ૮૨-૯૩)નું તૂટુવુત્રાપ તથા ઈન્ત અસરનું મિટુ-તવારી (ઈસ. ૧૩૩૦ )૫૯ પ્રાચીન કાલ દરમ્યાન ગુજરાત પર થયેલા અરબ હુમલાઓની બીના નેધે છે. | વાઘેલા સોલંકી રાજ્યની પડતી વિશે કેટલાક મુસ્લિમ ઇતિહાસકારોના ગ્રંથમાં માહિતી મળે છે, જેમકે અલાઉદ્દીન ખલજીના રાજકવિ અમીર ખુશરેના. લક્ષારનુ-કુતૂમાં ૨૦ તથા ફેવરની ૧ લિંઝવાન કાવ્યમાં, ૧ મેહમ્મદ
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy