SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ મૌર્યકાલથી ગુપ્તકાલ [મ.. બાજુમાં થોડા અંતર ઉપર આવેલ એક શૈલ પર અશકના આ શૈલલેખોની નકલ કરાવવામાં આવી, જેથી મૂળ શૈલલેખોને કંઈ નુકસાની લાગે તો પણ એ લેખો જળવાઈ રહે અશોકના આ લેખ પ્રાકૃત ભાષામાં લખેલા ને મૌર્યકાલીન બ્રાહ્મીલિપિમાં કોતરેલા છે. અશોકના ધર્મલેખો ધરાવતા આ શૈલ પર આગળ જતાં બીજા બે લેખ કોતરાયા. એમાંને પહેલો લેખ શૈલની પશ્ચિમ બાજુ પર ક્ષત્રપકાલીન બ્રાહ્મીલિપિમાં કોતરેલું છે. આ લેખ જેમ્સ પ્રિન્સેપ, ભગવાનલાલ ઇંદ્રજી, ધૂહલર, કલહોર્ન વગેરે વિદ્વાનોએ સંપાદિત કર્યો છે. એ સંસ્કૃત ગદ્યમાં લખાય છે. ને ઉચ્ચ ગદ્યશૈલીમાં રચાયો છે. એમાં મુખ્ય હકીકત તો ગિરિનગરના સુદર્શન તળાવનો સેતુ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાના સમયમાં (શક) વર્ષ ૭૨ (ઈ.સ૧૫)માં તૂટી ગયાની ને એ સેતુ જલદી સમરાયાની છે, પરંતુ એમાં એ ઉપરાંત રુદ્રદામાની તથા આનર્ત-સુરાષ્ટ્રના પાલન માટે એણે નીમેલા અમાત્ય સુવિશાખની જે પ્રશસ્તિ આપી છે તે ઐતિહાસિક તથા સાંસ્કૃતિક દષ્ટિએ ઘણી મહત્વની છે. વળી એમાં આ સુદર્શન તળાવ મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રિયે બંધ બાંધીને કરાવ્યાનો તથા અશોક મૌર્યના રાષ્ટ્રિયે એમાં નહેરો કરાવ્યાને જે વૃત્તાંત આપે છે તે એ જળાશયના જ નહિ, ગુજરાતના પ્રાચીન ઇતિહાસ પર પણ અવનવો પ્રકાશ પાડે છે. સુરાષ્ટ્ર પર મૌર્ય સમ્રાટોનું શાસન પ્રવર્યું હોવાને સીધે ઉલ્લેખ આ લેખ પૂરો પાડે છે, જેનું અશકનાં શૈલશાસનનું ગિરનાર શૈલ પરનું અભિલેખન પ્રત્યક્ષ પુરાવારૂપે સમર્થન કરે છે. આ શૈલ પરને ત્રીજો લેખ એની વાયવ્ય બાજુ પર કોતરેલું છે. એ લેખ ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના સમયને છે. એમાં સુદર્શન સેતુ (બંધ) ગુ. સં. ૧૩૬ (ઈ. સ. ૪૫૫)માં તૂટી ગયા ને બીજે વર્ષ તાત્કાલિક સમરાયાને વૃત્તાંત આપેલો છે. આ બે લેખો પરથી ગિરિનગરના સુદર્શન તળાવ અને એના સેતુ વિશે ઘણું જાણવા મળે છે. ત્રીજા લેખમાં “સુદર્શન-તટાક-સંસ્કાર-ગ્રન્થ-રચના” સમાપ્ત થયા બાદ એક બીજો ખંડ ઉમેરવામાં આવ્યું છે, જેમાં ગિરિનગરના રક્ષક ચપાલિતે ત્યાં ચક્રભૂત વિષ્ણુનું ઉજંગ મંદિર બંધાવ્યાને વૃત્તાંત નેં છે. આ લેખના બંને ખંડ ગુપ્તકાલીન શૈલીના સંસ્કૃત પદ્યમાં રચાયા છે. આમ આ એક શૈલ પર કોતરાયેલા અભિલેખો એકંદરે પોણું આઠસે વર્ષોના ઐતિહાસિક વૃત્તાંતોને આવરી લે છે. ગુજરાતમાં સ્તંભલેખ મળ્યા નથી, પરંતુ યષ્ટિલેખ મળ્યા છે.
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy