SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪ ] મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ. હરીફ પાર્થિયને પહલવો), મેમ્બરોસને ઉલ્લેખ અને તેમના સમયથી મનનગર ઓઝીનીને એની રાજધાની તરીકે ઉથલાવી પાડવું તે, બૅટ્રિયા(બાલિક)નું સ્વાતંત્ર્ય અને સરગેનીસ તથા સનદાનીસની ને--આ બધા એવા મુદ્દા છે જે સબળ રીતે રેનોડે દર્શાવેલા સમયને પક્ષે જાય છે. પેરિપ્લસના લેખકના સમયમાં ભારત સાથે વેપાર કરનારાં વહાણ મેસ હરસ( રાસ અબુ સમર પાસે થી અથવા બેરેનિક ફાઉલ ઉપસાગરમાંથી નીકળતાં અને રાતા સમુદ્રમાંથી મૌઝા (ખાની ઉત્તરે ર૫ માઈલ દૂર આવેલું મૂસા) સુધી ઉતરી આવતાં અને ત્યાંથી સામુદ્રધુનીઓમાં પાણી પૂરું પાડનાર એકલિસ ઘિલ્લા) પહોંચી જતાં. ત્યાંથી તેઓ અરબી સમુદ્ર કિનારે કિનારે કની (હકમાઉતમનું હિન્જ છુરાબી સુધી આવતાં અને વાટમાં જે ભારત સાથે વેપાર કરનારાઓનું મોટું હાટ હતું, પણ પાછળથી જેનો રાજા એલીઝરે (હસ્તપ્રતમાંના કૈઝપ અંગે મૂલરની અટકળો નાશ કર્યો હતો તે યુટૅમેન અરેબિયા (એડન) થતાં આવતાં. કનીથી ભારત આવવાના જળમાર્ગ ફંટાય છે, અને કેટલાંક વહાણ સિંધુ અને આગળ બેરીગાઝા સુધી હંકારે છે, તો બીજા સીધાં લાભિરિકે મલબારકોઠે)નાં બંદર સુધી પહોંચી જાય છે. લામિરિકે પહોંચવાને બીજે પણ જળમાર્ગ હતો, જે અરોમેટા (ગુઅર્જાઈ ભૂશિર)થી શરૂ થતો. આ ત્રણે સફરમાં વહાણ વર્ષાઋતુને ઉપયોગ કરતાં હતાં અને જુલાઈ માસમાં મિસરથી નીકળતાં હતાં. વર્ષાઋતુને પેરિપ્લસ (પ્રકરણ ૫૭) અનુસાર જે નાવિકે સમુદ્ર વાટે પહેલવહેલે સીધો માર્ગ શોધી કાઢયો તેના નામ ઉપરથી “હિપેલેસ' કહેવામાં આવતી હતી. પ્લિનીના શબ્દોને (૬. ૨૩ ) આધારે એવું અનુમાન તારવવામાં આવે છે કે આ નાવિક ઈ. સ. પહેલા સૈકાના મધ્ય ભાગમાં જીવતા હતા, પરંતુ આપણે અપેક્ષા રાખીએ તે પ્રમાણે લિનીને પોતાને જ વૃત્તાંત દર્શાવે છે કે કાંઠે કાંઠે વહાણ હંકારવામાંથી સીધી સફર સુધીની પ્રગતિ ક્રમે ક્રમે થઈ હતી, જેની અનેક અવાંતર અવસ્થાઓ હતી, પણ એ સર્વમાં વધતે ઓછે અંશે ઉપગ વર્ષાઋતુનો થતો હતો. એટલે જે નાવિકે માત્ર છેલ્લું પગલું ભર્યું તેના નામ ઉપરથી મોસમી પવનનું નામ પાડવાને કશે જ અર્થ ન હતો. વળી જે કે હિનીને પૂર્વના સમુદ્રમાં મસમી પવનના સ્થાનિક નામ તરીકે હિપેલેસ પરિચિત છે, છતાં સીધા જળમાર્ગના શોધકના નામ તરીકે એ નામ હોવા વિશે એ કશું જ કહેતા નથી, એટલે અનુમાન એવું લાગે છે કે નાવિક હિપેલોસ એ ખલાસીઓની કલ્પનાનું ફરજંદ છે, જે મોસમી પવનના સ્થાનિક નામ ઉપરથી ઊપજેલું છે અને એ પ્લિનીના હેવાલમાં નહિ, પણ પેરિપ્લેસમાં
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy