SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ અનુ-મૌર્ય કાલ મગધમાં મૌર્ય વંશના છેલ્લા રાજા બૃહદ્રથને મારીને એના સેનાપતિ પુષ્યમિત્રે શુંગવંશની સત્તા સ્થાપી (લગભગ ઈ.પૂ. ૧૮૫). દક્ષિણમાં એની સત્તા વિદિશા (પૂર્વ` માળવા) પયંત પ્રવતતી, જ્યારે વિદર્ભમાં યજ્ઞસેન નામે સ્વતંત્ર રાજા રાજ્ય કરતા હતા.૧ પુષ્યમિત્ર શુગની સત્તા ગુજરાત પર પ્રવર્તતી હતી કે કેમ એ વિશે ક ંઈ સ્પષ્ટ જાણવા મળતું નથી. “અશાકાવદાન”માં પુષ્યમિત્ર બૌદ્ધ સંધારામેા( વિહારા )નો નાશ કરવા પાટલિપુત્રથી શાકલ અને ત્યાંથી દક્ષિણ મહાસમુદ્ર ગયા હોવાનુ જણાવ્યું છે. આ ઉલ્લેખ પરથી પુષ્યમિત્રે શાકલ(શિયાલકોટ–પૂર્વ પંજાબ)થી પાતાલ (સિંધુનો મુખત્રિકાણુ) અને સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર)ના દક્ષિણ સમુદ્ર સુધી કૂચ કરી હાવાનુ ટા ધારે છે. આ મત અનુસાર પુષ્યમિત્ર શુંગની સત્તા સૌરાષ્ટ્ર સુધી પ્રસરી હેવી સ ંભવે, પરંતુ સિંધ-સૌરાષ્ટ્ર પાસે આવેલા સમુદ્રને સામાન્યતઃ ‘ અપર (પશ્ચિમ ) સમુદ્ર” તરીકે એળખવામાં આવતા, આથી આ અવદાનકથામાં ક ંઈ ઐતિહાસિક તથ્ય રહેલુ હાય તેાપણ એમાં ઉલ્લિખિત દક્ષિણ સમુદ્ર પરથી પુષ્યમિત્રે સૌરાષ્ટ્ર પર કૂચ કરી હેવાનું અનુમાન તારવવું એ ભાગ્યેજ સ્વીકાર્યં ગણાય. *. પુષ્યમિત્રે ૩૬ વર્ષી (લગભગ ઈ.પૂ. ૧૮૫- ૧૪૯) રાજ્ય કયુ" એ દરમ્યાન સિંધુ પ્રદેશમાં બાહલિક દેશના યવને(યુનાનીઓ-શ્રીકા)ની સત્તા સ્થપાઈ. ભારતમાં વસેલા આ ખાલિક-યવને અને તેઓના વંશજો ભારતીય-યવના તરીકે ઓળ ખાય છે. કાબુલ પ્રદેશમાં તથા ગંધાર દેશમાં બાલિક–યવનાની સત્તા પ્રસારનાર રાજા દિમિત્રપ હતા. એને સમય લગભગ ઈ.પૂ. ૧૮૦–૧૬૫ ના આંકવામાં આવ્યા છે.૧ એની સત્તા એક્રતિદ॰ નામે ખાલિક-યવને પડાવી લીધી અને બાલિક જીતી લઈ આગળ જતાં કાબુલ, ગંધાર વગેરે પ્રદેશ પણ સર કર્યાં. એક્રતિદે ૯૯
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy