________________
રૂપ મનમાં સંતાપ અનુભવે. ઈષ્ટ વ્યકિત કે વિષયોના વિયોગરૂપ આર્તધ્યાનરૂપ સંતાપ અનુભવે અને કષાય પરિણામની વૃદ્ધિ થતાં રૌદ્રધ્યાન થવા વડે સ્વ કે પરની હિંસાદિ કરવાના અધ્યવસાયરૂપ તીવ્ર માનસિક પીડા અનુભવે. ક્રોધાદિ ૪ કષાયો ચારે જુદી-જુદી લાગણીરૂપે છે.
૧) દોધ કષાય: અપ્રીતિની લાગણીરૂપ. ૨) માન કષાયઃ પર સંયોગથી પોતાનો ઉત્કર્ષ કરવારૂપ. ૩) માયા કષાય: સત્ય છૂપાવવા, અને ન હોય તે રીતે દેખાવવારૂપ. ૪) લોભ કષાયઃ પર વસ્તુ સંગ્રહ, આસક્તિ પરિણામ અર્થાત્ ન છોડવારૂપ.
આ ચારે કષાયો લાગણીરૂપે હોય છે અને એ કષાયના લાગણી પરિણામો તરતમતા યોગે દરેક કષાયના ૪-૪ ભેદ તેમ ૧૬ ભેદો છે.
ક્રોધ - અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન. માન - અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન. માયા – અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન લોભ – અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન. આ ૧૬ કષાય થયા. તે દરેક કષાયના ૧૬-૧૬ ભેદ કરતા કુલ ૬૪ ભેદ થાય. ૧) અનંતાનુબંધી-અનંતાનુબંધી ૯) પ્રત્યાખ્યાની-અનંતાનુબંધી ર) અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાની ૧૦) પ્રત્યાખ્યાન-અપ્રત્યાખ્યાની ૩) અનંતાનુબંધી-પ્રત્યાખ્યાની ૧૧) પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાની ૪) અનંતાનુબંધી-સંજવલન ૧૨) પ્રત્યાખ્યાની-સંજવલન ૫) અપ્રત્યાખ્યાની-અનંતાનુબંધી ૧૩) સંજવલન-અનંતાનુબંધી ૬) અપ્રત્યાખ્યાન-અપ્રત્યાખ્યાની ૧૪) સંજવલન-અપ્રત્યાખ્યાની ૭) અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાની ૧૫) સંજવલન-પ્રત્યાખ્યાની ૮) અપ્રત્યાખ્યાની-સંજવલન ૧૬) સંજવલન-સંજવલન
આ ૧૬ ભેદ ક્રોધ કષાયના થયા. તે જ રીતે માન, માયા અને લોભના ૧૬ રીતે કષાય ગણતા કુલ ૬૪ ભેદ રૂપે લાગણીઓ થાય છે.
આમ આત્માનો જે સહજ શુદ્ધ સ્વભાવ (વીતરાગ) તે કષાયના તરતમતા યોગે અનેક પ્રકારે વિભાવરૂપે પ્રગટ થઈ આત્માના આનંદના ભોક્તા સ્વભાવને 296 | નવ તત્ત્વ