________________
બદલે ક્લેશરૂપ દુઃખનો ભાગી બને છે. અર્થાત્ આત્માના વીતરાગ સ્વભાવરૂપ ગુણ દબાય, હિંસારૂપ સ્વભાવ પ્રગટ થાય. જેટલા અંશે કષાય પરિણામો અટકે તેટલી ભાવહિંસા અટકે.
» અનંતાનુબંધી કષાયથી આત્મા અટકે તો સંતોષરૂપ શમ પરિણામ પ્રગટે. » અપ્રત્યાખ્યાની-કષાયથી આત્મા અટકે તો દેશવિરતિ રૂપ (પરસંયોગ
ત્યાગરૂપ દેશચારિત્ર ગુણ પ્રગટે.) » પ્રત્યાખ્યાન કષાયથી આત્મા અટકે તો સર્વવિરતિ રૂપ ચારિત્ર પરિણામ
પ્રગટે અર્થાત્ સર્વસંયોગ સંબંધથી છુટવારૂપ અને નિરાળા થવા રૂપ ચારિત્ર
પરિણામ પ્રગટે. » સંજવલન કષાયથી આત્મા અટકે તો વીતરાગ સ્વભાવ પ્રગટે.
જ્યાં સુધી કષાયો હોય ત્યાં સુધી ભાવ લેશ્યા પણ હોય તેથી હવે ૪થો લેશ્યા પરિણામ.
૪) યા પરિણામ : લેશ્યા પરિણામ પણ લાગણીરૂપ, આત્માના વીતરાગ સ્વભાવને રોકનાર છે. લેશ્યા, કષાય પરિણામની વૃદ્ધિમાં સહાયક છે. જેમ અગ્નિમાં ઘી નાખતાં તે વધુ પ્રજ્જવલિત બને તેમ વેશ્યા-કષાયમાં વૃદ્ધિનું કારણ બને.
તિર્થતે પ્રાળ મેળો યયા સા નૈયા - ભિન્ ધાતુ પરથી શ્રેષ્ઠT (સંબંધ થવાના અર્થમાં) જીવ જેના વડે કર્મ બાંધે અર્થાત્ જેવા જેની સાથે સંબંધવાળો થાય તે વેશ્યા.
કર્મ પ્રકૃતિનાં નિષ્પન્દનભૂત- કૃષ્ણાદિ ૬ વર્ગણાવાળા દ્રવ્યોના સહાયવાળા જીવના શુભ-અશુભ પરિણામ વિશેષ લેશ્યા.
કર્મગ્રંથના મતે ઃ લેશ્યા પણ એક જાતના કષાય પરિણામો છે કષાયોના કર્મપુદ્ગલોમાં ભળેલા શ્યામ આદિ વર્ણોના જે કર્મપુદ્ગલો તે દ્રવ્યલેશ્યા કહેવાય. લેશ્યાઓ કષાયની અર્નભૂત થઈ કષાયોની પુષ્ટિ કરનારી હોય તેથી રસબંધના
અજીવ તત્વ | 297