________________
છે. ગૌતમસ્વામીએ પરમાત્માને પ્રશ્ન પૂછ્યું કે ભગવન! કિં તત્તર તત્વ શું છે? પ્રભુએ ઉપન્નઈવા-વિગઈવા ને જુવેઈ વા. જ્યારે “ધુવેઈ વાર કહ્યું ત્યારે તેમણે ધુવેઈ તત્ત્વરૂપે સ્વીકારી લીધું. ધુવ એટલે શાશ્વત-સદા રહે. શાશ્વત છે તે સદા રહે, તે ધર્મ જ કરવાનો છે, તે ધર્મ જ પામવાનો છે પણ આપણે ધર્મને વ્યવહાર રૂ૫ માન્યો તેથી ફળ પણ વ્યવહાર રૂપ, પુણ્ય જ મળ્યું. નિશ્ચય ધર્મ કરે તેને નિશ્ચય ફળ-ગુણની પ્રાપ્તિ મળે. તેને પ્રગટાવવા માટે સાધનાની જરૂર પડે, સાધન તે વ્યવહાર છે. • સામાયિક એ સાધન-સમતા એ ધર્મ:
સામાયિક એ સાધન છે કોનું? સમતાના પરિણામને પ્રગટાવવાનું એ સાધન છે. સામાયિકની વિધિ એ ધર્મ નથી પણ ધર્મનું સાધન છે. સમતાએ જ ધર્મ છે, ને તે આત્મામાં રહેલી છે. પ્રથમ તો સર્વવિરતિ ધર્મજ બતાવ્યો છે. વીતરાગતા એ આત્માનો પૂર્ણ સ્વભાવ ધર્મ છે તેને પ્રગટાવવા માટે સર્વવિરતિ એ ધર્મનો વ્યવહાર બન્યો.
કર્મકૃત અવસ્થાવાળા આત્માના પુગલના સંયોગના કારણે થયેલા ૧૦ મિત્ર પરિણામો:
આત્માનું હિત કરવા માટે આત્માએ ધ્યાન કરવું જોઈએ અને તેની માટે જ્ઞાન હોવું જરૂર છે, અને જ્ઞાનમાં આત્માને પોતાની સ્વરૂપ સ્થિતિનું ભાન થવું જોઈએ. જે કર્મોથી રહિત છે તે પૂર્ણ જ્ઞાતારૂપ ધ્યાન પરિણામમાં સહજ છે. તેને ધ્યાનનો વ્યવહાર નથી કરવાનો પણ જે કર્મોથી આવરિત છે તેને ધ્યાન કરવાનો વ્યવહાર મૂક્યો છે. જેમ પુદ્ગલના ૧૦ પરિણામ છે તેમ જીવના પણ ૧૦ પરિણામ છે. એ પણ જાણવાના છે એટલે આત્માને ખ્યાલ આવે કે વિકાસ કરવા માટે હજી શું શું કરવાનું છે. વર્તમાનમાં જીવ ક્યાં છે? તેને રૂપ મળ્યું છે તેમાંથી રૂપાતીત થવાનું છે. કાયાતીત અવસ્થામાં ધ્યાનમાં જવાનું છે. કાયાવાળો છે તેથી યોગવાળો છે એટલે યોગાતીત અવસ્થામાં જવાનું છે. ઉપયોગનો આધાર મન અને ઈન્દ્રિયો છે એટલે આત્માને ઈન્દ્રિયાતીત અવસ્થા અને છેલ્લે મનાતન અવસ્થામાં જવાનું છે અને આ બે ૧૦-૧૦ પરિણામો સિવાય આત્માની શુદ્ધ દશાના ૧૦ શુદ્ધ પરિણામો છે. આ નિર્ણય પાકો થાય પછી જ સાચી સાધનાની શરૂઆત થાય, પછી વાસ્તવિક ભેદ જ્ઞાન થાય, પછી જ અનાદિ પુદ્ગલના સંયોગથી આત્માનો ભેદ કરવાની પ્રક્રિયારૂપ ધ્યાનની શરૂઆત થાય.
અજીવ તત્વ | 289