________________
પુદગલના સંયોગના કારણે આત્મા ૧૦ મિશ્ર પરિણામ
| ગતિ, ઈન્દ્રિય, કષાય, લેશ્યા, યોગ, જ્ઞાન-અજ્ઞાન, દર્શન, મિથ્યાત્વ, ચારિત્ર અને વેદ આ ૧૦ પરિણામો જીવને કર્મના કારણે થયા છે.
૧) ગતિ પરિણામ: માત્ર ઊર્ધ્વ ગતિ કરવાના સ્વભાવવાળો જીવ પુદ્ગલના સંયોગના કારણે દિશા-વિદિશા આદિ ૧૮ દ્રવ્ય દિશા અને નરકાદિ ચાર ભાવગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. માટે જ પરમાત્માના ૪ જ્ઞાનના ધણી ગૌતમસ્વામીને પ્રસાદ ન કરવાનું કરી રહ્યા છે. પ્રભુ વીતરાગ સર્વજ્ઞ છે અને ગૌતમસ્વામીને સર્વજ્ઞપણાની સતત ઝંખના છે. છતાં વિતરાગ પ્રભુ પ્રત્યેનો પ્રશસ્ત રાગરૂપ પ્રમાદનો ત્યાગ નથી અર્થાત્ ભાવથી ઊર્ધ્વ ગતિરૂપ પૂર્ણ સ્વભાવમાં નથી. આત્માનો સ્વભાવ તો ઊર્ધ્વગતિ છે આડાઅવળા જવાનો નથી. દ્રવ્ય ને ભાવગતિ એમ બે ગતિ છે. પુદ્ગલની પરાધીનતા જીવને જ્યાં સુધી છે ત્યાં સુધી દ્રવ્યગતિ રોકી શકવાની નથી. છતાં પણ તેને રોકવા માટે પ્રભુએ કાયોત્સર્ગ ધ્યાન બતાવ્યું. તેના દ્વારા દ્રવ્યગતિ રોકી શકાય છે. એક ડગલું ઉપાડે ત્યારે વિચાર આવવો જોઈએ કે આ મારી ગતિ નથી. આપણે આખો દિવસ હાલીએ ચાલીએ તે શા માટે? પુદ્ગલ માટે જ. જ્યાં આત્માનો લક્ષ નથી ત્યાં બંધ પડે તો પણ તે પુદ્ગલનો જ પડે છે માટે જ
290 | નવ તત્ત્વ