________________
તેમ વાપરવામાં વાંધો નથી આવતો.
પુદ્ગલમાં રહેલા વર્ણ-ગંધ-રસ-સ્પર્શ આપણા માટે સુખ-દુઃખ રૂપે બને છે તે સિવાય બીજું કોઈ કારણ નથી અને મોહનો પરિણામ આ ચાર પર જ ચાલે છે માટે ધર્મ કરવો આપણા માટે દુષ્કર બને છે, કારણ આપણે પુદ્ગલને પકડીએ છીએ. સામાયિકમાં સમતાના પરિણામની સાધના કરવાની છે એની માટે બધી વસ્તુ શેય બનવી જોઈએ. જાણે ખરો પણ માણે નહીં. અનુકૂળ સ્થાનની પ્રથમ પસંદગી કરીએ. એકાસણું આયંબિલ કરવા બેઠા તો ત્યાં પણ શેની પસંદગી કરો? ઈન્દ્રિયોને ગમે તે આપવાનું, તો ધર્મ કેટલો બને છે? જીભ, આંખ, કાન, પ્રસનન થઈ જાય તો આપણું ચિત્ત પ્રસન્ન બની જાય. તો તો પછી ભોગી આત્મા સૌથી વધારે ચિત્ત પ્રસન્નતાને અનુભવે, તો તેનો મોક્ષ જલદી થવો જોઈએ ને? ચિત્ એટલે જ્ઞાન. આપણે ચિત્ન માત્ર સમજી બેઠા છીએ. તમામ ધર્મક્રિયામાં શરીરને વોસિરાવવાની જ વાત મૂકી છે. નિસીપી શેની? સંસારનો નિષેધ, આત્મા અને આત્માના ગુણો સિવાય બધું જ સંસાર, શરીર પણ પર, એ પણ સંસાર જ. દેહએ હું નહીં પણ દેહમાં પૂરાયેલો એવો આત્મા એ જ હું. પછી બે ઘડી પણ સમતાની સાધના કરો, કાળ ભલે અલ્પ હોય. જો આત્માએ પોતાને અક્ષય તરીકે સ્વીકાર્યો હોય તો ભય ન આવે. અરૂપી તરીકે સ્વીકાર્યો હોય તો રૂપનો મોહ ન સતાવે. આત્માના જ્ઞાન વિના મોક્ષ થવાનો નથી.
સ્વદ્રવ્ય અસ્તિત્વ અને સ્વગુણ અસ્તિત્વની રુચિ તે સમ્યકત્વ છે તથા પરદ્રવ્ય અસ્તિત્વ અને પરગુણ અસ્તિત્વની રુચિ તે મિથ્યાત્વ છે.
આગમનો સાર શું છે? આત્માએ આત્માના સ્વભાવ પ્રમાણે વર્તવું – આત્માનું હિત કરવું એ જ આગમનો સાર છે અને મનુષ્યભવનું પરમ કર્તવ્ય પણ એ જ છે. અનાદિકાળથી આત્મ દ્રવ્યે પોતે પોતાના સ્વભાવમાં વર્તવું તે સિદ્ધાંત છે, પણ પુદ્ગલના સંયોગને કારણે તે પ્રમાણે તે વર્તી શકતો નથી તેની મનુષ્યપણાને પ્રાપ્ત કરીને તેણે આ પ્રયત્ન કરવાનો છે. દ્રવ્ય અસ્તિત્વને ગુણ અસ્તિત્વ એ બે રુપે આત્માને થવું. દ્રવ્યઅસ્તિત્વ અર્થાત્ સ્વરૂપ અને ગુણઅસ્તિત્વ અર્થાત્ સ્વભાવ પ્રમાણે થવું. આત્માએ પોતાના દ્રવ્ય અસ્તિત્વ પ્રમાણે ગુણઅસ્તિત્વનું કાર્ય કરવાનું છે પણ આત્માને પોતાના દ્રવ્યઅસ્તિતવનું ભાન નથી તેથી જે પુરુષાર્થ પોતાની તરફ
અજીવ તત્વ | 277