________________
અને અર્થ આવડી ગયા એટલે આપણે ધર્મી બની ગયા. આ રીતે ગતાનુગતિક તો અનંતકાળથી કરતા રહ્યા છીએ. આત્મામાં અર્થ તત્ત્વરૂપે ઉતરે તે ધર્મ, બાકી બધો વ્યવહાર. ધર્મ જેવી અચિંત્ય શક્તિ જગતમા બીજી કોઈ નથી ને ધર્મ કરીને ધર્મ જો આપણામાં ન આવે, એનો જો પ્રભાવ ન પડે તો શું ધર્મ કર્યો ધમ આત્માથી બીજાને દૂર થવાનું મન કેમ થાય? પછી તે સાધુ હોય કે શ્રાવક. ધર્મી પાસે તો ગુડી જ જવાય. દેવો ધર્મીની પાછળ પડે છે એની જગ્યાએ આપણે દેવોની પાછળ પડીએ છીએ. દેવો અને નારકોની અપેક્ષાએ મનુષ્યનો કાળ અલ્પ છે અને એમાં પણ પાંચમાં આરામાં જન્મ્યા છીએ એટલે અતિ અલ્પકાળ છે માટે આ ભવમાં માત્ર એક ધર્મતત્ત્વનો રુચિપૂર્વક નિર્ણય થઈ જાય અને શક્તિ મુજબ આચારણ થઈ જાય તો ભવ સફળ થઈ જાય.
દેવો તથા નારકો જ્ઞાનનો વિકાસ ન કરી શકે:
આત્માનો ચેતના (જ્ઞાન) ગુણ સૌથી નિરાળો છે તે અન્ય કોઈ દ્રવ્યમાં નથી. જ્ઞાનથી જ શરૂઆત અને જ્ઞાનથી જ આત્માની પૂર્ણતા. દેવ ને નરકને જન્મતાં જ અવધિજ્ઞાન મળે. છતાં તેમાં વધારો ન કરી શકે. પર્યાય વધારી ન શકે. સમ્યગ્દષ્ટિ દેવ જો સાવધાન ન રહે તો તેનું જ્ઞાન વિભંગ જ્ઞાનમાં પલટાઈ જાય. સમ્યગ્દષ્ટિ દેવ જો સાવધાન ન રહે તો તેનું જ્ઞાન વિભંગ જ્ઞાનમાં પલટાઈ જાય. જ્યારે મનુષ્ય જન્મે તયરે એને મતિ શ્રુત જ્ઞાન પણ ન હોય પણ ૯ વર્ષની ઉંમરે મનુષ્ય કેવલજ્ઞાન પ્રગટ કરી શકે છે. સાગરોપમના આયુષ્યવાળો દેવ જે ન કરી શકે તે મનુષ્ય અલ્પકાળમાં કરી શકે છે. જ્ઞાનની પરાકાષ્ટા પામી શકાય તેવું આપણને શાસન મળ્યું પણ એની કિંમત કેટલી સમજાણી? ભણવા માટે લંડન, અમેરિકા લાખો રૂપિયા ખર્ચીને ગયા ને પરમ જીવનને બરબાદ કર્યું. પણ આ શાસનને સમજવાનો ભાવ ન થયો. આવું શાસન ભાવિમાં મળશે કે કેમ તે પ્રશ્ન છે. મળ્યું તો તેનો ઉપયોગ ન કર્યો, તો ફરી ક્યાંથી મળે? જ્ઞાન પ્રત્યે આદરનો પરિણામ લાવવાનો છે. તમારા પૂર્વજોએ જે કામ નથી કર્યું તે કામ તમે કરો છો. લાખો-કરોડો રૂપિયાના ડોનેશન આપીને તમારા ૪ વર્ષના બાળકને તમે ભણવા મૂકો છો. જ્યાં આત્માનું લક્ષ નથી તેને કતલખાનું જ કહેવાય. તમારા બાળકને તમે કતલખાને મોકલો છો. શ્રાવક કમાવામાં ને વાપરવામાં ઉપયોગવાળો માત્ર ન હોય. પણ પાપથી બચાય કે જલદી છૂટાય તેના ઉપયોગવાળો હોય. આજે તમને વગર મહેનતે પૈસો મળી જાય છે એટલે ગમે
276 | નવ તત્વ