________________
વ્યંગવચન, બોલવાથી અપ્રીતિનું કારણ, ખોટા આક્ષેપ શબ્દથી વૈર, ઝગડા, હિંસાદિ પાપની પરંપરા ચાલે. અપમાનાદિ શબ્દ ન સહન થવાથી યુદ્ધો-આપઘાત, વેર વાળવા વગેરે અનેક અનર્થો સર્જાય. મધુર, હિત, મિત, ઈત્યાદિ વચન બોલવાથી પરસ્પર પ્રેમ, મૈત્રી આદિ ભાવ વૃદ્ધિ, ધર્મ સન્મુખતા, ચિત્ત પ્રસન્નતા, શોક નાશ વગેરે અનેક લાભો પણ થાય.
આમ શબ્દ વર્ગણાનો જો વિવેક પૂર્વક ઉપયોગ કરવામાં આવે તો અનેક પ્રકારના લાભ પણ થાય. • નિશ્ચય અને વ્યવહારથી આશા શું? :
નિશ્ચયથી શબ્દ એ જડ તેથી જીવ માટે હેય છે. માટે જીવની પૂર્ણતામાં બાધક છે. સિદ્ધાવસ્થા પ્રગટાવવા અંતે તેને પણ હેય કરવો જ પડે. તેથી સિદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાની જેની પ્રતિજ્ઞા (પ્રણિધાન) છે એવા મુનિને ઉત્સર્ગ માર્ગરૂપ જિનાજ્ઞા મુને: ભાવે મૌન. जं सम्मं ति पासहा तं मौणं ति पासहा।। (५-३-१५५)
(આચારાંગ લોકસાર અધ્યયન) सम्यक्त्वमेव तन्मौनं, मौनं सम्यक्त्वमेव वा।। (१३-मौनाष्टक-१)
|
(જ્ઞાનસાર ૧૩-૧) સર્વજ્ઞ તત્ત્વનું પૂર્ણ રૂપે રુચિપૂર્વક સ્વીકાર અને તે જ પ્રમાણે પ્રરૂપણા અને તે જ રૂપે પાલન કરવા રૂપ જે સમ્યક્તતે જ મુનિ થવારૂપમાં છે. અર્થાત્ સર્વજ્ઞ તત્ત્વ દષ્ટિથી સ્વ અને સર્વ જીવોને જુએ-જાણે, સ્વીકારે, રુચિ કરે તે જ પ્રમાણે જરૂર પડે તો પ્રરૂપણા કરે અને તે જ પ્રમાણે જીવન જીવવાનો પૂર્ણ પુરુષાર્થ કરવો તે મુનિનું મૌન છે. આ મુનિ માટે ઉત્સર્ગમાર્ગ ગુપ્તિનો અને અપવાદ સમિતિ. બન્નેમાં તેને નિર્જરા થાય. સાધુનિજ વીર્યથી પર વણો; નહિ કરે ગ્રહણ ને ત્યારે.
તેભણી વચન મુમે રહે, એક ઉત્સર્ગ માર્ગર. મૌનધારી મુનિનવિદે, વચન જે આશ્રવ મેદરે; આચરણ જ્ઞાન ને ધ્યાનનો, સાઘક ઉપદિશે તદરે (3)
(ભાષા સમિતિ સક્ઝાય - પૂ. દેવચંદ્રવિજયજી મહારાજ) 266 | નવ તત્ત્વ