________________
છતાં ચેતનને તેના હિત કરવામાં સહાયક પણ છે અને જો તેનો દુરુપયોગ થાય તો અહિતમાં પણ તે કારણ બને. પ્રેમ મીઠાશ હિતકારક શબ્દ બીજાને શાંત કરે અને વેરભાવ, ક્રોધાવેશ, કર્કશ વચન બીજાને અશાંત પણ કરે. • સૌથી વધારે ઉપકાર કોણ-કોના વર્ડ કરી શકે? :
नोपकारो जगत्यस्मिस्,तादृशो विद्यते कवचित्। તુઘવચ્છતા, દિનાં ધર્મશનર-દા.
(ધર્મબિંદુ) અનાદિના દુઃખોનો સર્વથા વિચ્છેદ કરવામાં ઉપાય માત્ર જિનાજ્ઞા છે અને તે જિનાજ્ઞા જણાવવાનું કે જાણવાનું માધ્યમ જિનવાણી છે. તીર્થંકર પરમાત્મા છમસ્થામાં સાધના વડે કેવલજ્ઞાન પ્રગટ કરી સ્વાત્મા પર પૂર્ણ ઉપકાર કરનારા બને છે. પણ જગતના જીવો પર ઉપકાર કરવામાં તે કેવલજ્ઞાન પણ સીધું નિમિત્ત બની શકતું નથી. તે કેવલજ્ઞાનને બીજા સુધી પહોંચાડવા પરમાત્માને પણ ભાષા વર્ગણા ગ્રહણ કરવા વડે તે વાણી વડે પ્રકાશિત કરવું પડે ત્યારે તે કેવલજ્ઞાન પણ શ્રુતજ્ઞાન રૂપ બને. આથી તીર્થંકર પરમાત્મા જે કેવલજ્ઞાનનો પ્રકાશ વાણી વડે કરે ત્યારે તે આત્માગમ કહેવાય અને ગણધરો તે જ વાણીને જે સૂત્ર-અર્થરૂપે ગ્રથિત કરે તેને અનંતરાગમ કહેવાય. પરમાત્મા પોતાની હયાતિ દ્વારા સ્વમુખારવિંદની વાણી વડે અનેક ભવ્ય જીવો પર સર્વથા હિતને કરનારી અર્થાત્ મુકિતરૂપ શાશ્વત સુખમાં નિમિત્ત રૂપ બને અને ગણધરો જે દ્વાદશાંગીની રચના કરે તેના વડે પરમાત્માનું શાસન ચાલે ત્યાં સુધી ભવ્ય જીવોનું હિત થાય. આમ જીવોના હિતમાં સૌથી વધારે ઉપકાર જિનવાણીના માધ્યમ દ્વારા થાય અને જીવનું સૌથી વધારે અહિત પણ જિનવાણીના વિરુદ્ધ ઉચ્ચાર કરવા વડે અર્થાત્ ઉસૂત્રની પ્રરૂપણા વડે થાય, અનંત સંસારીપણું પણ થાય. જે જે આત્મા ઉત્સુત્ર સાંભળે અને ઉન્માર્ગને પામે તે બધાનું ભવભ્રમણ વધવા વડે અહિત પણ થાય. આમ વાણીનું માધ્યમ ઉપકારમાં નિમિત્ત બનવા વડે ઉપકાર અને અપકારમાં નિમિત્ત બનવા દ્વારા જીવ માટે અધિકરણ રૂપ પણ બને. શબ્દ વર્ગણા-શારીરિક અને માનસિક બન્ને પ્રકારના દુઃખમાં કારણ. બહુ મોટેથી, કર્કશ ભાવથી બોલવામાં આવે તો શરીર વેદનાનું કારણ પણ બને. ઢોલના શબ્દથી તીડના શરીરને વ્યાઘાત થાય તેથી તીડને ભગાડવા ઢોલ વગાડવામાં આવે છે. કાનના પડદા ફાટી જાય, માથું દુઃખે વગેરે શારીરિક દુઃખ થાય. કડવા, કર્કશ,
અજીવ તત્વ | 265