________________
સાધુ એ ઉત્સર્ગ માર્ગે ગુપ્તિમાં જ રહેવાનું હોવાથી પોતાની આત્મ-વીર્ય (શક્તિ) થી ભાષાવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરવા કે ત્યાગ કરવા જે જીવ સ્વભાવ નથી તેથી તેને ગ્રહણ કે ત્યાગરૂપ વાણીમાં બોલવાનો વ્યવહાર કરવાનો નથી. વચન એ આશ્રવરૂપ હોવાથી તેઓ ગુપ્તિમાં રહી આત્મ ધ્યાનમાં જ રમે. બોલવું જ પડે તો તેઓ નિર્વદ્ય-મુહપત્તિના ઉપયોગ પૂર્વક બોલે. જિનાજ્ઞા સાપેક્ષ જે વચન સમ્યગ્દર્શન, જ્ઞાન કે ચારિત્ર ગુણના કારણભૂત હોય તેવું જ બોલે. તેથી તેમને બોલવાં છતાં પણ નિર્જરા થાય. બોલવાં છતાં પણ મુનિ મોનિ કહેવાય. સાધુ ક્યારે બોલે?: જિન ગુણ સાવન નિજ તત્ત્વને, જોયા કરે અવિરોધરે દેશના ભવ્ય પ્રતિબોઘવા, વાયણા કરણનિજ બોઘરા
(પૂ. દેવચંદ્રવિજયજી મહારાજ) જિનેશ્વર પરમાત્માના ગુણ ગાવા દ્વારા પોતાના આત્મ તત્ત્વને જોવા માટે અને ભવ્ય જીવોને પ્રતિબોધવા-દેશના આપવા અર્થાત્ સ્વાત્મ બોધ માટે આગમ ગ્રન્થોની વાચના લેતી વખતે કે આપતી વખતે જરૂર પૂરતું ઉપયોગ પૂર્વક બોલે.
વચનયોગ: मुहुत्त-दुक्खाउ हवन्ति कंटया, अओमया ते वि तओ सुउद्वरा। वाया दुरुत्ताणि दुरुद्धराणि, वेराणुबन्धीणि महब्भयाणि।।९-३-७।।
(મું. વિનય અ. દશવૈકાલિક) લોખંડના તીણ ખીલી કે કાંટા દેહમાં થોડો સમય શલ્યભૂત થાય પણ તે જલ્દી દૂર કરી શકાય પણ વૈર કષાયવશ વચનો જે વૈરાનુબંધને કરનારા વર્ષો સુધી પણ હૃદયમાં ધારણ કરાયેલ ભયંકર દુઃખ આપનારા બને છે.
મનોવર્ગણા, ભાષા (વચન) વર્ગણા, શ્વાસોશ્વાસાદિ વર્ગણાથી જીવોનો જીવન વ્યવહાર ચાલે છે. વ્યવહાર ચલાવવા તે ઉપયોગી, તે વિના દ્રવ્યજીવન જીવી શકાતુ નથી. જગતના તમામ પરસ્પર વહેવારમાં સૌથી વધારે ભાષાવર્ગણા ઉપયોગી છે. એક બીજાના ભાવોને-જાણવા-સમજવા જ્ઞાન પ્રધાન કારણ છે. જ્ઞાનનું પ્રધાન માધ્યમ ભાષા છે. વિશિષ્ટ જ્ઞાની વિના એકબીજાના મનોગત ભાવો-સામી વ્યકિત શું કહેવા માગે છે તે જાણવાનું મુખ્ય માધ્યમ જ ભાષા છે. ભાષા વિના જગત
અજીવ તત્ત્વ | 267