________________
આથી આત્મહિતના ઉપદેશ કાર્યમાં ક્યારેય પોતાના શ્રમનો વિચાર કર્યા વિના આત્મહિતનું કાર્ય કરવું, જેથી સ્વ અને પર ઉભય ઉપર અનુગ્રહ થાય. જીવનો સ્વભાવ છે. જીવે જીવ ઉપર વાસ્તવિક ઉપકાર કરવો એ મુખ્ય કાર્ય છે અને ન કરે તો તે અપકારમાં નિમિત્તભૂત બને. તે જ રીતે પુદ્ગલનો પણ જીવ પર ઉપકાર કરવાનો સ્વભાવ છે.
शरीर-वाङ्मनः प्राणापानाः पुद्गलानाम्।।५-२०॥ સુd-g-કવિત-મરણોપરાશા-રા.
(તત્વાર્થસૂત્ર) પુદ્ગલનો જીવ પર ઉપકાર શું??
શરીર, વાણી (શબ્દ), મન, શ્વાસોચ્છવાસ, સુખ, દુઃખ, જીવન અને મરણ થવું એ પુદ્ગલનો તે રૂપે થવા રૂપ નિમિત્ત ઉપકાર છે. શરીર રૂપે થવું, વાણી (બોલવા રૂપ શબ્દ), વિચારવારૂપ મન, શ્વાસોચ્છવાસ ગ્રહણ કરવા તથા જે સુખ અને દુઃખરૂપે આપણને લાગે અનુભવાય તથા ૧૦ પ્રાણરૂપે જીવન અને ૧૦ પ્રાણ રૂપે વિયોગ રૂપે મરણ તે બધું પુદ્ગલ દ્રવ્યના સંયોગના કારણે થાય અર્થાત્ જીવદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય બન્ને ઉપકાર અને અપકારના નિમિત્ત ભૂત પણ છે. માત્ર શુદ્ધ સિદ્ધનો જીવ દ્રવ્ય હોય તો તે કોઈ પણ જીવના અપકારમાં નિમિત્ત બનતું જ નથી. પણ શુદ્ધ એવું જીવ દ્રવ્ય એકાંત ઉપકારનું કારણ જીવ દ્રવ્ય પર થાય.
જયારે પણ જીવ સંપૂર્ણ પુદ્ગલ દ્રવ્યના સર્વ પુદ્ગલ-સંયોગથી (પરિગ્રહ) જે સમયે મુકત થાય (મોક્ષ) તે જ સમયે તેના પ્રભાવે એક જીવ અનાદિ અવ્યવહાર રાશિ રૂપ સૂક્ષ્મ નિગોદમાંથી વ્યવહાર નિગોદમાં આવે. અર્થાત્ તેના હવે વિવિધ પર્યાય તરીકે વ્યવહાર થવાને યોગ્ય બની અને જે ભવ્ય હશે તે પોતાના ભવ્યતાના પરિપાકથી અનાદિ પુદ્ગલ પરિગ્રહરૂપ સંસારથી મુક્ત થવા, વિરતિ ધર્મનો સ્વીકાર કરી દ્રવ્ય ભાવ પરિગ્રહથી મુકત બની, સર્વમાં અપકાર કરવાનું અર્થાત્ પીડા આપવાનું બંધ કરી સ્વ-પર ઉપકાર કરવામાં લક્ષ પૂર્વક જીવન જીવતા વીતરાગ બને.
પુગલ દ્રવ્ય જીવ પર ઉપકાર-અપકાર કઈ રીતે કરે?: પુદ્ગલ દ્રવ્યના જે ગતિ બંધાદિ જે ૧૦ પરિણામો છે તે પુદ્ગલના પરિણામો જીવ પોતાના સ્વભાવ પરિણામોને ભૂલીને જયારે તેને પોતાના પરિણામો સમજીને
262 | નવ તત્ત્વ