________________
નિમિત્તભૂત છે. સૂત્ર જે બોલાય છે તે આત્મામાં પ્રગટેલા જ્ઞાનને બહાર પ્રગટાવવાના સાધન રૂપ છે. કેવલજ્ઞાન એ આત્માની અંદર પડેલું છે. એ અરૂપી છે. શ્રુતજ્ઞાન શબ્દ, લીપી વગેરે રૂપી છે. એના દ્વારા શ્રુતજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થાય તે અંદર થાય છે. તે બોધ રૂપે થાય તે અરૂપી છે. શબ્દ તો પુદ્ગલવર્ગણા જ તેના દ્વારા મતિજ્ઞાન ને મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન ને શ્રુતઅજ્ઞાન એમ બે પ્રકારે થાય. મોહનો પરિણામ પણ શબ્દ દ્વારા જ થાય. સંગીતના સૂર સાંભળવાથી રાગની ઉત્પત્તિ થાય, કાગડા, કૂતરા, ગધેડાના અવાજોથીષ થાય. આ શબ્દોને પકડીએ તો રાગ-દ્વેષના પરિણામ થાય. રાત્રે બે વાગે આપણે ભર ઊંઘમાં હોઈએ ને કૂતરા ઝગડે તો ઊંઘમાં ખલેલ પડે છે ને આત્મામાં અપ્રીતિનો-દ્વષનો પરિણામ થાય છે ટી.વી., રેડિયો, ફોન, છાપા વગેરે દ્વારા શબ્દોથી સંસારનો જ વ્યવહાર ચાલે છે. આમાં આત્મા પોતાના સ્વરૂપને, સ્વભાવને ન સમજે તો સંસારનું સર્જન જ કરે. શબ્દ પણ પરિગ્રહ જ છે માટે પૂર્વના કાળમાં અક્ષર લખે તો પણ પ્રાયશ્ચિત આવે. ૧૪ પૂર્વ પણ મુખપાઠ હતા. એક પણ ગ્રંથનો પરિગ્રહ ન હતો. ગુરુ શિષ્યને આપે, તેઓ તેની પરાવર્તના કરે. જિનશાસનનો માર્ગ કેવો વિશુદ્ધ કોટિનો હતો. પુગલ એ પરિગ્રહ જ છે તેનો પરિગ્રહ કરાય નહીં. કારણ, પુગલના સંયોગરૂપ પરિગ્રહ એ જ સંસાર અને તે પરિગ્રહથી આત્માએ પૂર્ણ મુકત થવું એ મોક્ષ.
नर्ते च मोक्षमार्गा द्धितोपदेशोइंस्ति जगति कृत्स्नेइंस्मिन्। तस्मात् परमिदमेवे-ति मोक्षमार्ग प्रवक्ष्यामि।।३१।।
(તત્ત્વાર્થસૂત્રકારિકા-૧) તત્ત્વાર્થસૂત્રની કારિકામાં પૂ. ઉમાસ્વાતિ મહારાજ ફરમાવે છે. આ જગતમાં સ્વાત્માનો અનાદિથી પુદ્ગલ સાથેના સંયોગે જે પરિગ્રહરૂપ-સંસાર છે તેનાથી સર્વથા મુકત થવું તેમાં જ આત્માનું પૂર્ણ હિત છે અને તે જ મનુષ્યભવમાં જીવ કરી શકે છે. આથી ભવ્યાત્મા રૂપ મનુષ્યને મોક્ષમાર્ગ-પુદ્ગલ પરિગ્રહ રૂપ-સંસારથી છૂટવાના ઉપાય રૂપ મોક્ષ માર્ગ સિવાય બીજો કોઈ હિતોપદેશ આપવા યોગ્ય નથી અને બીજું કંઈ પણ કરવા યોગ્ય નથી. આથી જ પૂ. ઉમાસ્વાતિ મહારાજ કહે છે હું મોક્ષ માર્ગને જ કહીશ.
श्रममविचिन्त्यात्मगतं तस्माच्छेयः सदोपदेष्टव्यम्। आत्मनं च परं च (हि) हितोपदेष्टानुगृह्णाति॥३०॥
(તત્ત્વાકારિકા) અજીવ તત્ત્વ | 261