________________
છે. આ વાતને સમજવા માટે જ ૬ દ્રવ્યની વાત મૂકવામાં આવી છે. સંયોગ-વિયોગ સ્વભાવ માત્ર પુદ્ગલમાં જ છે બાકી કોઈ દ્રવ્યમાં નથી. પણ પુદ્ગલના સંયોગને કારણે તેનો સ્વભાવ આત્મામાં ભ્રમરૂપે પ્રગટ થયો છે કારણ અનાદિથી આત્માને પુદ્ગલનો સંયોગ થયેલો છે. એક પરમાણુ બીજા સાથે જોડાય તે સંયોગ અને છૂટો પડે તે વિયોગ, અને પુદ્ગલનો તે સ્વભાવ જ છે માટે તેમાં આ પ્રક્રિયા નિરંતર ચાલ્યા જ કરે છે. સંબંધો તૂટે નહીં પણ વધારે મજબૂત થાય તેવા જ તમારા પ્રયત્નો છે. સંસાર સ્વરૂપથી નહીં સમજાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ જ રહેવાની છે. અહીં આવ્યા પછી આ જ પ્રક્રિયા બનવાની છે. પૂર્વના મહર્ષિઓ જે નિગ્રંથ હતા તેનો વર્તમાનમાં દુષ્કાળ છે. ૩૦૦-૫૦૦ શિષ્યોના ગુરુ હોવા છતાં, શાસન ચલાવતા હોવા છતાં પણ તેમનામાં નિઃસંગ દશાની રમણતા દેખાતી. વ્યવહાર સંયોગ સંબંધ રાખવો પડે તો રાખે ખરા પણ છતાં નિઃસંગ રહેતા. ૨૪ કલાક અભ્યતર ભાવમાં જ રમે. ભેદજ્ઞાન વિનાનો આત્મા કદી મોક્ષની આરાધના ન કરી શકે, માટે મુમુક્ષુ આત્માને તો ભેદજ્ઞાન વિના ન જ ચાલે. મમલ સાચો ત્યારે જ કહેવાય જયારે ભેદ જ્ઞાનને જાણે. અજીવ (દેહાદિ થી) ભેદ કરવાની રુચિ પ્રગટે અને તેની માટે જ નવતત્વને ભણવાના છે. જીવ અનાદિથી અજીવની સાથે રહી અજીવમય બનેલો છે. યોગ દ્વારા આત્મા અનુભવયમય છે એને હવે ઉપયોગ દ્વારા જીવમય બનાવવાનો છે. ક્રિયાને ધર્મ માની બેઠા છીએ માટે સંતોષ માની બેઠા છીએ. છૂટવા માટે પહેલા ક્રિયા પકડવાની છે. પછી તેમાંથી પણ છૂટી જવાનું છે. ત્યાં પહોંચવા માટે જ પુરુષાર્થ કરવાનો છે. મુહપત્તિના બોલમાં પ્રથમ જ વાત મૂકી છે કે સૂર અર્થ-તત્વ કરી સકયું સૂત્રમાં રહેલા અર્થની તત્ત્વરૂપે શ્રદ્ધા કરવાની છે. એટલે સૂત્રમાં જે અર્થ બતાવ્યો છે તેનો અર્થ આત્મામાં તત્ત્વ રૂપે પરિણામ પમાડવાનો છે. આ તત્ત્વને અંદરમાં પરિણામ પમાડવા માટે બીજા ૪૯ બોલ મૂકયા છે. આત્મામાં રહેલા ગુણો તે જ તત્ત્વ છે. ભયકં કિં તત્ત? ઉપન્નઈ વા, વિગમેઈ વા, ધુવેઈવા, આત્મા ઉત્પન્ન થતો નથી, તેનો વિનાશ થતો નથી પણ ગુણના પર્યાય ઉત્પન્ન થાય છે અને નાશ થયા કરે છે.
-
-
-
(૯) શબ્દ પરિણામઃ પુદ્ગલનું આ વિશેષ લક્ષણ છે. સામાન્ય વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તે દરેક પરમાણુમાં હોય. વિશેષ લક્ષણ બધામાં ન હોય માટે આ પણ આત્માના પરિણામમાં
260 | નવ તત્ત્વ