________________
તન્યા,
પકડી તે મય પોતાનું જીવન જીવવાનો પ્રયાસ કરશે ત્યારે જીવના અપકારમાં તે પુદ્ગલ પરિણામો સંસાર સર્જનના કારણભૂત બનશે. આથી આનંદમાત્રના ધામ રૂપ અને જીવ દ્રવ્ય પર માત્ર ઉપકારના કારણ ભૂત તે અપકારના કારણભૂત પણ બનશે. अधिकरणं जीवाऽजीवाः॥६-८।।
(તત્ત્વાર્થસૂત્ર) કેવળ જીવ કે કેવળ અજીવ (પુદ્ગલ) કર્મબંધમાં કારણ બનતા નથી. જીવપુદ્ગલમય (પુદ્ગલ સ્વભાવમય) બને તો આશ્રવ રૂપ થાય. આથી જીવ અજીવ સંયોગથી આશ્રવ-અધિકરણરૂપ (અપકાર કરનાર) થાય અર્થાત્ અવરૂપ શરીરના સંયોગથી જીવ અધિકરણ બને. કાયિકી ક્રિયા વડે કર્મબંધનું કારણ બને, એ શરીરનો ઉપયોગ તપ સંયમાદિમાં કરીને જો નિર્જરામાં નિમિત્ત બને તો ઉપકરણ નહીં તો અધિકરણ રૂપ થાય.
પુદ્ગલના ૧૦ પરિણામોમાં સૌથી વધારે અપકાર અને ઉપકાર અપેક્ષાએ શબ્દ પરિણામે થાય. શબ્દ એ પુદ્ગલ દ્રવ્ય છે. તેથી તે અજીવ છે, જીવ નથી. પ્રથમ તેનો નિર્ણય જોઈએ. જીવ જયારે બોલે છે ત્યારે તે આકાશમાં રહેલા ભાષા વર્ગણાના (ભાષા-વાણી-રૂપે બનાવી પરિણાવી શકાય તેવા) પુદ્ગલો ગ્રહણ કરે છે. ભાષા રૂપે પરિણાવી છોડી દેવું તે જ ભાષા (વાણી). શબ્દ બોલવાથી એ પુદ્ગલમાં ધ્વનિ ઉત્પન્ન થાય છે. શબ્દ એ પુદ્ગલનો વિશેષ ગુણ છે. સર્વ પુદ્ગલ વર્ગણામાં ધ્વનિ (અવાજ-શબ્દ) રૂપે થાય તેવો નિયમ નહીં. વેદાંતાદિ દર્શન - ધ્વનિ આકાશમાંથી અગમ્ય ઉત્પન્ન થઈ તેમ માની તેમના વેદાંત શાસ્ત્રોના કોઈ ચોક્કસ પુરુષને માનતા નથી. આકાશમાં ધ્વનિ ઉત્પન્ન થતો નથી પણ આકાશમાં રહેલા ભાષા વર્ગણા વચનબળની સહાયથી ગ્રહણ કરી ભાષા રૂપે પરિણમાવી વિસર્જન કરે અને શ્રવણેન્દ્રિયની સહાયથી સંભળાય. ભાષા વર્ગણાના પુદ્ગલો સૂક્ષ્મ પરિણામી હોવાથી તે ઈન્દ્રિય ગ્રાહ્ય નથી. તેથી રૂપી હોવા છતાં દેખાય નહીં, જયારે તે મુખ વડે શબ્દ રૂપે પરિણામી વાણી (શબ્દ) રૂપે પરિણામે ત્યારે તે બાદર પરિણામી બને તેથી તે કર્મેન્દ્રિય ગ્રાહ્ય બને. ટેપરેકોર્ડ, ગ્રામોફોનમાં પણ તે પકડાય અને બહુ મોટો ધ્વનિ હોય તો કાનના પડદાને ફાડી નાખે. પવનની દિશામાં ધ્વનિ ઘસડાય છે. શબ્દ ગતિ કરે છે તેથી જ અમેરિકામાં બોલનારના તે જ શબ્દો ભારતમાં પણ સાંભળી શકાય છે. આમ શબ્દ એ પુદ્ગલ દ્રવ્ય છે. તેથી જડ છે.
અજીવ ત