________________
પકડી લઉં, દેહાતિત થઈ જાઉં.
(૫) લંબચોરસ સંસ્થાન (આયાત) દંડની જેમ લાંબુ હોય અથ લંબાકાર (દીધી.
(બ) બાકી અનિયત રૂપે સંસ્થાન : શરીરનું સંસ્થાન નિયત અને અનિયત બરૂપે. ગર્ભમાં જન્મ પામે ત્યારે શરીર ચોખાના ઓસામણ બિંદુ માત્ર. ૭ દિવસે કલલ રૂપે, પ્રથમ માસે (કર્ષીપલ પ્રમાણ) માંસપેશી થાય. બીજા માસે (ઘનમાંસ) પીંડરૂપ થાય. ચોથા માસે બે હાથ, બે પગ, અને પાંચમાં માસે માથું અર્થાત્ પાંચ અંગ આમ આઠ માસે ગર્ભમાં શરીર પૂર્ણ થાય. જમ્યા પછી શરીરની જે ઉંચાઈ, જે આકાર આદિ હોય તે દિવસો વધે તેમ લાંબા આદિ વિવિધ પ્રકારે ફેરફાર થાય. યૌવનમાં શરીર પૂર્ણ વધે. વળી વૃદ્ધાવસ્થામાં તે જર્જરિત થાય અને ઉંમર વધે તેમ શરીર, રૂપ, ઉંચાઈ, આકારાદિ ઘટવા પણ માંડે.
વૃષભની વૃદ્ધાવસ્થા જોઈ રાજા કરકંડુ પ્રત્યેક બુદ્ધ થયા:
રાજા કરકંડુના ગોકુળમાં એક વાછરડું શ્વેતવર્ણવાળું, શરીરથી ભરાવદાર રાજાને અત્યંત ગમી ગયું. તે વાછરડાનું સારી રીતે લાલન-પાલન કરવું, તેની માતાનું બધું દૂધ પાવું તથા બીજી ગાયનું પણ દૂધ પાવું પણ ઘાસ નહીં આપવું. રાજાના આદેશ પ્રમાણે વાછરડાની માવજત થતાં યોવનમાં તેની હાઈટ બધા કરતા ઊંચી, માંસથી શરીર ભરાવદાર, હાડકા દેખાતા નથી, શીંગડા ઊંચા અત્યંત શોભાયમાન, રાજા તેને જોઈ રાજી થાય. બીજા બળદો સાથે યુદ્ધ કરાવે. કોઈ તેને જીતી શકે નહીં. રાજા વિશેષ ખુશ થાય.
રાજાને રાજ્યના કાર્યાર્થે બહાર જવાને કારણે ઘણો કાળ વીતી ગયો. બળદને ન જોયો, આવીને યાદ આવતા રાજા તેને જોવા ગયો. તો એક વૃદ્ધ બળદ નાના વાછરડાથી ઘર્ષણ પામતો, જેના હાડકા માત્ર દેખાય છે, આંખમાં આંસુ વહે છે, અશક્ત-જેમ તેમ ઉઠે, ચાલી ન શકે, શરીર કરચલીથી જર્જરિત, જોવો ન ગમે તેવા વૃદ્ધ બળદને જોઈ રાજાએ ગોવાળને પૂછ્યું કે પેલો બળદ ક્યાં ગયો? ગોવાળે કહ્યું આ તે જ બળદ છે જેને દૂધ પાઈને મોટો કર્યો. વૃદ્ધાવસ્થાથી તેની આવી સ્થિતિ થઈ છે. આ સાંભળી રાજાએ બાહ્ય અનિત્યતાની વિચારણા કરી. આ શરીર, વય, ઊંચાઈ, રૂપ, વૈભવ કદી એક સરખા રહેતા નથી. રાજ્ય ઋદ્ધિ બધું અનિત્ય છે. મારું જીવન પણ અનિત્ય તો તે જર્જરિત ન થાય તે પહેલા આત્મકલ્યાણ સાધી લઉં એમ વિચારી રાજાએ સ્વયં લોચ કર્યો, દેવોએ તેમને વેશ આપ્યો ને તે પ્રત્યેક બુદ્ધ થયા.
228 | નવ તત્વ