________________
ઉપયોગ નિર્મળ જ્ઞાન પરિણતિને કારણે સતત ચાલ્યા કરે કે હું સત્તાએ સિદ્ધ અને વીતરાગ સર્વજ્ઞ છું તો મારે તે જ થવાનું છે, સર્વજ્ઞ ન બને ત્યાં સુધી મારે સર્વોયને શ્રુતજ્ઞાનના બળે જ જાણવાના છે.
લોગો જત્વ પઢિઓ જગમિણું, તેલુકૂક મચાતુર સર્વજ્ઞ પ્રણિત શ્રુતજ્ઞાનમાં ત્રણે લોક પ્રતિષ્ઠિત છે અર્થાત્ સર્વજ્ઞ પ્રણિત શ્રત જ્ઞાનમાં (આગમમાં) ત્રણે લોકનું પૂર્ણ સ્વરૂપ કહેલું છે.
શ્રતના બળે ઊર્ધ્વ, અધો અને તિચ્છલોકરૂપ ૧૪ રાજલોકનું ધ્યાન કરે. કારણ પ્રભુનું - “લોગપઈવાણ” વિશેષણ છે. ૧૪ રાજલોકને કેવલજ્ઞાન વડે નિત્ય પ્રકાશિત કરશે. કેવલજ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી તેને પ્રગટાવવા શ્રુતબળે ઉપયોગની સ્થિરતા માટે ધ્યાનરૂપી અભ્યાસ વડે તેમાં અંતરાયભૂત જ્ઞાનાવરણાદિ કર્મની સતત નિર્જરા કરનારા બને.
સ્વ સ્વભાવ પ્રગટાવવા જ નિજ આત્મારૂપ પરમાત્માનું ધ્યાન કરવાનું છે. તેમાં મોહ મુખ્ય બાધક છે. તે અરૂપીને બદલે શરીરાદિ રૂપને પકડાવી આત્માના ધ્યાનથી છોડાવે છે. આથી મોહને આધીન ન થવા સર્વડ કથિત સામાયિકાદિ નિમિત્તો વડે મોહને દૂર કરી પરમાત્માનું મિલન શકય બનાવવાનું છે. સામાયિકાદિ અનુષ્ઠાનમાં મોહને મારવાનું લક્ષ કેન્દ્રિત ન હોય તો માળા કે પુસ્તકાદિ લેતા ઊંઘ આવે. પણ મોહના કારણે સામાયિકમાં કોઈની વિકથા કરવાની કે સાંભળવાની હોય તો ઊંઘ ઊડી જાય (વેપારીને નોટોના બંડલ ગણવામાં ઊંઘ ન આવે). રસ ક્યાં છે તે મહત્વનું છે.
ધ્યાનમાં પ્રભુ રુક્ષ પુદ્ગલ શા માટે પકડે : પ્રભુને પોતાના શુદ્ધ આત્મપ્રદેશોનો નિર્ણય છે પણ હજી જ્ઞાનમાં સાક્ષાત્ નથી દેખાતા કારણ જ્ઞાન પૂર્ણ શુદ્ધ નથી અને આત્મપ્રદેશો કાર્મણાદિ વર્ગણાદિથી વ્યાપ્ત છે. જ્ઞાન શુદ્ધ ન થવાનું કારણ મોહનો પરિણામ છે. મોહ કોને પકડે છે? પુદ્ગલને પકડે છે. પરમાત્મા હજી વીતરાગ નથી થયા તો દેહભાવથી હજી સંપૂર્ણ મુક્તિ નથી. તો મોહને કારણે દેહભાવનું અસ્તિત્વ તોડવા સૂક્ષ્મ-અક્ષ પુદ્ગલોનું તેના પરમાણુનું ધ્યાન કરવાથી તેના પ્રત્યેનો મોહ નિવૃત્ત પામે. પરમાણુના પિંડરૂપ દેહ અને અસંખ્ય પ્રદેશી, અરૂપી, નિર્લેપ, નિરાકાર આત્માના ભેદજ્ઞાનથી મોહનો 208 | નવ તત્ત્વ