________________
ભેદ થતો જાય અને આત્મા સ્વયમાં સ્થિરતા પામે. પુદ્ગલ દેહભાવથી મુક્ત થતો જાય. જ્ઞાન જેટલું નિર્મળ, તેજ-તપના પરિણામવાળું તેટલું અપૂર્વ નિર્જરા કરે. આમ દેહ-આત્માના ભેદજ્ઞાનથી આત્મામાં ઉપાદેયતા અને પુદ્ગલ સ્કંધ દેહભાવમાં ઉદાસીનતા રૂપ ધ્યાનથી સ્વ સ્થિરતા થતાં આત્મા નિર્મળ થાય. आत्मज्ञान फलध्यानं-आत्मज्ञानं मुक्तिदम्।
(પૂ. મહો. યશોવિજયજી મ.સા.) પરમાત્મા આપણી દષ્ટિમાં સમોવસરણ કે પ્રતિમા રૂપે આવે તો તે આકાર કે રૂપપણે આવ્યા, પણ આપણે તે રૂપમાં નિર્મોહી તરીકે આકારમાં પણ નિરાકાર પ્રભુના દર્શન કરવાના છે.
રૂપાતીત સ્વભાવ જે કેવળ દંસણનાણીરે તે ધ્યાતા નિજ આત્મા, હોય સિદ્ધગુણ ખાણીરે(૧) પ્રભુની નિર્વિકારતાને પકડી આપણે પણ નિર્વિકારી, નિર્વિકલ્પી બનવાનું છે. નિર્વિકારતાના બળે આત્માને પોતાના આત્માનું સ્વરૂપ ધ્યાનમાં લાવવાનું છે. મારો આત્મા સર્વ સંયોગ-સંબંધથી રહિત, નિરાલંબી છે માટે બીજા કોઈનું આલંબન લેવું એ આત્માનો સ્વભાવ નથી. પરની સહાય વિના જ આત્મા પૂર્ણ જ્ઞાતા અને પૂર્ણ આનંદનો ભોકતા છે. પણ હું અનાદિથી કર્મવશ હોવાને કારણે હવે મારે કર્મના બંધનથી પ્રાપ્ત સાધન મનથી છૂટવા રૂપી મનની સહાય રૂપી શ્રુતજ્ઞાન માટે લેવી પડે છે.
શુકલ ધ્યાન ભુતાલંબનારે, એ પણ સાધન દાવ વસુધર્મ ઉસમેરે ગુણ ગુણી એકસ્વભાવ. ૮
(પૂ. દેવચંદ્રજી મ.સા.) શુકલધ્યાનના પહેલા પાયા પર શ્રુતજ્ઞાનનું આલંબન એ પણ કેવલ જ્ઞાન માટેનું પરમ સાધન છે. આત્મ ગુણ- ગુણી રૂપે એક સ્વભાવરૂપ છે. ભેદ નથી. તેના વડે મારું અરૂપી નિર્મળજ્ઞાન પ્રગટાવવાનું છે.
મન અને શ્રુતજ્ઞાન કેવલ જ્ઞાનનું પરમ સાધન છે:
પૂર્ણ કેવલજ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી મનની, શ્રતની સહાય લેવી પડશે. માટે મન અને શ્રુતજ્ઞાન પણ મારા કેવલજ્ઞાનના પરમ સાધન છે તેથી તે સાધનનો માત્ર
અજીવ તત્ત્વ | 209