________________
જે સિદ્ધાત્મા છે તે જ હું પોતે સત્તાએ છું અને વીતરાગ અને સર્વજ્ઞ પરમાત્મા તે પણ પોતે સત્તાએ છું તેથી મારે મારા જ સિદ્ધાત્મા અને પરમાત્માની નિશ્ચયથી ઉપાસના કરવાની છે તે સિવાય બીજા કોઈની ઉપાસના કરવાની નથી, કારણ તે અને હું જુદા નથી. વ્યવહારે જે સર્વજ્ઞ અને સિદ્ધ થઈ ગયા છે તેનું આલંબન પણ જરૂરી.
આથી જ જીવે પોતાના શેયના જ્ઞાતા બનવાનું છે જે સ્વ શેયના જ્ઞાતા ન બની શકે તે ધ્યેયનો ધ્યાતા ન બની શકે. સાતમાનપત્ત ધ્યાન – આત્માના જ્ઞાનનું ફળ ધ્યાન અને ધ્યાન રૂપે બનેલા જ્ઞાનનું ફળ મુકિત માત્મજ્ઞાનં ર મુમ્િ = (અધ્યાત્મસાર) કર્મ, કષાયથી મુક્તિ. કષાય મુક્તિ વિના જ્ઞાન ક્યારેય પૂર્ણતાને પામી શકે નહીં. પૂર્ણતાને પામવા પોતાના શુદ્ધ સ્વરૂપના પૂર્ણ જ્ઞાતા એવા જિન કેવલીના વચનના આલંબનથી જ આગળ વધાય. • શાનનું સ્વરૂપ
જ્ઞાન સ્વરૂપે અરૂપી છે અને કર્મનું આવરણ (જ્ઞાનાવરણીયાદિ) રૂપી છે. રૂપીની પાછળ આત્માનું અરૂપી શુદ્ધ સ્વરૂપ સમાયેલું છે. તે અરૂપી એવા સ્વરૂપને અરૂપી એવું શુદ્ધ જ્ઞાન જાણી જોઈ શકે. આથી શુદ્ધ સ્વભાવ કેવલજ્ઞાન જ અરૂપી સ્વરૂપને સાક્ષાત્ જોઈ શકે, પણ મનઃ પર્યવ જ્ઞાન, અવધિ જ્ઞાન કે શ્રુતજ્ઞાન અરૂપીને જોવા સમર્થ ન થાય. તેમનો વિષયમાત્ર રૂપી જ છે.
જ્ઞાનમાંથી મિથ્યાત્વ (દર્શન મોહનીય) ગયું એટલે જ્ઞાન શુદ્ધ થવાનું શરૂ થાય, સર્વજ્ઞ મત મુજબ માનવાની વિચારધારા શરૂ થાય. સમ્યગ્દર્શનના પરિણામ સહિત જ્ઞાનથી આત્માને સ્વાત્માની પ્રતીતિ થાય અર્થાત્ સમ્યગદષ્ટિ “હું આત્મા છું.' તે સર્વજ્ઞ વચન પ્રમાણે સ્વીકાર કરે. જ્યારે મિથ્યાદષ્ટિ પણ આત્માનો સ્વીકાર કરે, પણ તેની માન્યતા શુદ્ધ ન હોય. તેથી આત્માવિષે તેમની માન્યતા ભિન્ન ભિન્ન હોય, કૂટસ્થ નિત્ય, કોઈ અપરિણામી કે કોઈ ક્ષણિક આત્મા અથવા આત્મા જ્ઞાનાદિ ગુણોથી શૂન્ય છે, જ્ઞાનાદિ ગુણો આત્મામાં બહારથી (પ્રકૃતિમાંથી) આવે છે વગેરે.
સમ્યગ્દષ્ટિ આત્માને આત્માના જ્ઞાનાદિ ગુણો એ જ મારા આત્માની સાથે સદા રહેનારા છે તે સિવાય બધું પર છે. તેવો સર્વજ્ઞ વચન પ્રમાણે સ્વીકાર હોય. આથી તેનું એક માત્ર સાધ્ય મોક્ષગુણની પૂર્ણતા જ હોય. જ્યારે મિથ્યાદષ્ટિની માન્યતા પૂર્ણ શુદ્ધ સર્વજ્ઞ પ્રમાણે ન હોવાથી તે અટવાય જાય.
અજીવ તત્ત્વ 183