________________
ધ્યાનના બે ભેદ (૧) સાલંબન (ર) નિરાલંબન.
(૧) સાલંબન : અરિહંતાદિ કોઈ પણ પ્રશસ્ત આલંબન વડે ધ્યાન કરવું. જિનવચન, જિનપ્રતિમા, સમોવસરણ આદિ અનેક પ્રકારના આલંબનો તેમાં લઈ શકાય. સાલંબનને પકડીને જ નિરાલંધન ધ્યાનમાં જવાનું છે, જે આત્મા પોતાના રૂપથી અતિત થયા છે, વિકારથી રહિત થયા તેનું જ ધ્યાન પકડવાનું છે માટે અરિહંત પરમાત્માનું ધ્યાન સાલંબન ધ્યાનમાં મૂકયું, કારણ તેઓ રૂપમાં રહીને રૂપાતીત થયા છે. જગતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રૂપ પરમાત્માનું છે અને પરમાત્માના રૂપમાંથી મોહ સર્વથા દૂર થયો હોવાથી તેમના રૂપને પકડવામાં આવે તો આપણો મોહ દૂર થાય, વિકાર ન થાય. પરમાત્માનું ધ્યાન પ્રશસ્ત ધ્યાન રૂપ. અપ્રશસ્ત ધ્યાનમાંથી છૂટવા પ્રશસ્ત ધ્યાન જરૂરી. તેમાં સ્થિર થયા પછી નિરાલંબન ધ્યાનમાં જવાનું છે, તો જ આત્મગુણની અનુભૂતિ થાય. જિન-વચન (જિનાજ્ઞા) એ પ્રશસ્ત આલંબન છે.
अणुसासिओ न कुप्पिज्जा खंति सेविज पंडिए खुडेहिं सह संसग्गिं हासं कीडं च वजए ॥१-९॥
(ઉત્તરાધ્યયન-૧) જિનની આજ્ઞા એ છે કે ગુરુ વડિલાદિ હિત શિક્ષા ફરમાવતા હોય કડક અનુશાસન હિતાર્થે કરતા હોય તો શિષ્ય ક્રોધ (અપ્રીતિ) ન કરવી જોઈએ. ક્ષુદ્ર હલકા લોકો સાથે સંસર્ગ, હાસ્ય ક્રીડાદિ ન કરવા જોઈએ. જિન વચનના આલબેન પકડી વિચારે જિનની આજ્ઞા છે કે મારે ક્રોધ ન કરવો જોઈએ અને શિષ્ય સમતા સ્વભાવમાં રહે તો તે વચન આલંબન ધ્યાન છે.
(૨) નિરાલંબન : આ પ્રમાણે આલંબનના અભ્યાસ વડે જિનવચનથી પોતાના સ્વભાવનો નિર્ણય થાય કે હું સત્તાએ જિન-વીતરાગ જ છું તો મારો સ્વભાવ સદા સમતામાં જ રમવાનો છે. આમ સ્વાત્મ સ્વભાવનું આલંબન લઈ ક્રોધ ન કરે તો તે નિરાલંબન ધ્યાન થયું કહેવાય.
જિનવચનયોગ એ આલંબન ધ્યાન અને અસંગાનુષ્ઠાન એ નિરાલંબન ધ્યાન
સર્વ આલંબન યોગમાં જિન વચનરૂપ આજ્ઞા એ આત્મહિત માટે ઉત્કૃષ્ટ 184 | નવ તત્ત્વ