________________
જ્ઞાનીઓએ તેને બહિરાત્મા કહ્યો અને તે મહાપાપરૂપ ગણાવ્યો. તે પાપથી પ્રથમ મુક્ત થવા પ્રથમ સૂત્ર નમો પદ છે. તે મિથ્યાત્વના ત્યાગરૂપ અને સમક્તિના
સ્વીકારરૂપ છે. “શુદ્ધ આત્મા દ્રવ્યમેવાડહ” શુદ્ધ આત્મા દ્રવ્ય છું.” એ ભૂલી પુદ્ગલદેહને પોતાનો આત્મા માની જીવન પુદગલમય બનાવી પુદ્ગલ માટે જ જીવ્યો. બીજી જિનાજ્ઞા વિધેયાત્મક”. મોહ, મોહના ઉદયથી મારુ શું? અર્થાત્ “હું શરીર છું” અને “શરીર સંબંધી જે કંઈ છે તે મારું છે” આ મિથ્યામોહના ઉદયથી જીવે ઊંધી માન્યતા પકડી છે. તે માન્યતા છોડીને સર્વશે કહેલું માનવા-સ્વીકારવારુચિ કરવા રૂપ સમ્યક્ત ધારણ કરવાના વિધાનરૂપ જિનાજ્ઞા છે. "जारिसो सिद्धसहावो तारिसो होई सव्व जीवाणं।
(પૂ. સિદ્ધસેન દિવાકરસૂરિ.) સિદ્ધના આત્મા જેવા છે તેવા સર્વ જીવ સત્તાએ સિદ્ધ છે. યો સિદ્ધાત્મા તો દં, તો હંસ પરમેશ્વર
(યોગપ્રદીપ) જે સિદ્ધાત્મા છે તે જ હું પોતે, પણ સત્તાએ સિદ્ધ અને સ્વભાવે જ્ઞાનાદિગુણથી પૂર્ણ પરમાત્મારૂપ છું અર્થાનમોપદમાં હુંઅરિહંતપદ-એ જ્ઞાનાદિ ગુણસ્વભાવરૂપ છે અને અરિહંત ઊ આણં, અરિહંતની આજ્ઞા પણ સ્વભાવથી પૂર્ણ થવાની છે અને બીજું – સિદ્ધપદ ઊ સ્વરૂપ પદ. આત્મા એ જ્ઞાનાદિ ગુણથી સત્તાએ જિન કેવલી પરમાત્મા અને સત્તાએ સિદ્ધ છે તેથી સિદ્ધોની આજ્ઞા પણ સિદ્ધ થવાની જ છે.
જ્યાં સુધી આત્મા સિદ્ધ ન થાય ત્યાં સુધી સિદ્ધના ઉપકારમાંથી નિવૃત્ત નહીં થાય. એક આત્મા સિદ્ધ થયો ત્યારે આપણો આત્મા અનાદિ નિગોદમાંથી બહાર આવી, અહીં સુધી પહોંચ્યો.
જીવનું મૂળભૂત સ્વરૂપ પણ પરસ્પરોપગ્રહ જીવાનામ્ (તત્વાર્થસૂત્રપ-૨૧) જીવે પરસ્પર ઉપકાર કરવાનું છે અર્થાત્ જીવ પીડાથી રહિત છે તેથી સ્વયં પીડા ન ભોગવવી કે બીજાના પીડામાં નિમિત્ત પણ ન બનવું તે જીવ સ્વભાવ. જ્યાં સુધી જીવ સિદ્ધસ્વરૂપને ન પામે ત્યાં સુધી તેની પણ પૂર્ણતાન થાય. અરિહંતો સ્વભાવથી પૂર્ણ, જયારે સિદ્ધ સ્વભાવ અને સ્વરૂપથી પૂર્ણ છે. અરિહંતો દેહમાં દેહાતીત સ્વરૂપે રહેલા છે. સિદ્ધો દેહરૂપ આકારથી અક્ષય-અરૂપી, નિરાકારે, નિરંજનાદિ
અજીવ તત્વ | 179