________________
પર લક્ષણ તે દુઃખ કહીએ, નિજ વસતે સુખ લહીએ,
આતમ ઘર આતમ રમે, નિજ ઘર મંગળમાળ. આત્માએ સર્વજ્ઞના વચનનો સ્વીકાર વિના સંકલ્પ કરી લેવો જ જોઈએ કારણ મોહથી સંપૂર્ણ રહિત હોવાથી જ્ઞાન સંપૂર્ણ શુદ્ધ અને પૂર્ણ છે. અને તેથી જ જગત સમક્ષ એમણે પૂર્ણ સત્ય પ્રકાશ્ય છે માટે આપણે તે વાત સ્વીકારીને નિર્ણય પાકો કરી લેવાનો છે. માન્યતાની શુદ્ધિ એ જ મોટામાં મોટું આત્મ હિતનું પ્રથમ કાર્ય છે. એ થાય તો રુચિનો પરિણામ થયા વગર ન રહે. તાવ શરીરમાંથી સંપૂર્ણ રીતે નીકળી જાય તો જ ભોજનની રુચિ થાય. પછી એને સુકો રોટલો મળે તો પણ ચાલે મિથ્યાત્વ ન જાય ત્યાં સુધી આત્માની સાચી રુચિ ન થાય જ, ત્યાં સુધી હજારો બહારના ઉપાયો કરે.
તીવ્રજ્ઞાનાવરણીયના ઉદયે મતિમાં જડતા છતાં “માષતુષ” મુનિ કેમ તર્યા:
જેમ ભાષ0ષ મુનિને તરવાનો પૂર્ણ ભાવ છે ને તરવાની ઝંખના જોરદાર છે તો ગુરુએ પણ એની બુદ્ધિની જડતા જાણીને આગમનો સાર ટુંકમાં માત્ર બે શબ્દોમાં એમને આપી દીધો. “મારુષ ને માતુષ”. તારે કલ્યાણ કરવાનું છે ને તો માત્ર આ બે શબ્દો ગોખ્યા કર. મંત્ર મૂર્ત પુરો વરા ગુરુના વચનને મંત્રરૂપે માની આદરપૂર્વક ગ્રહણ કર્યું ને આદરપૂર્વક પરિણમન કરવાનો પ્રયત્ન કર્યો તો ફળ્યો ને એમનું કલ્યાણ થઈ ગયું... આપણે ત્યાં પાપના ત્યાગ વિના કોઈપણ ક્રિયા કરવાની વાત જ નથી. માત્ર વિરતિપૂર્વકની આરાધના જ ફળદાયક બને છે. માણતુષમુનિને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ નથી પણ સમ્યગ્દર્શન ખૂબ જ નિર્મળ છે માટે ગુરુનો આદર ભાવ, વિધિનો આદર, આજ્ઞાનું બહુમાન, તરવાની ઝંખના, આત્માની રુચિ વગેરે જોરદાર છે તેના કારણે આજુબાજુ ક્યાંય નજર ન કરતા માત્ર બે શબ્દો મારુષ, માતુષ મંત્રરૂપ માની ગોખવામાં મંડી પડ્યા.
જ્યાં સુધી પૂર્ણતા પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી નિશ્ચયથી વ્યવહારને પણ હેય માનીને ઉદાસીન ભાવે કરવાનો છે. સાધ્ય વિષે સાવધાન થયેલો શ્રાવક ખાતા ખાતા પણ નિર્જરા કરે. ચાવી-ચાવીને ખાય તો પાચક રસ એમાં વધારે ભળે તો પચવામાં સહેલું પડે એ વિજ્ઞાનનો નિયમ છે અને જેમ ચગળીએ એમાં રાગ ભળે તેમ તેમ આત્મરોગ વધે છે. અનુકૂળ વાપરીને આપણે માયકાંગલા બનીએ છીએ અને લુખ્ખ આયંબિલનું વાપરનારા પરમ મસ્તીમાં રમી શકે છે. 156 | નવ તત્ત્વ